રાહુલ ગાંધીએ કહ્યું, દિગ્વિજય સિંહે જે કહ્યું તેનાથી તેઓ સહમત નથી. મને સેનામાં પૂરો વિશ્વાસ છે. દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી
જમ્મુમાં પત્રકાર પરિષદ દરમ્યાન રાહુલ ગાંધીનું મોટું નિવેદન
પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે આપ્યો જવાબ
દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી: રાહુલ
મને સેનામાં પૂરો વિશ્વાસ, દિગ્વિજય સિંહે જે કહ્યું તે તેમનું અંગત નિવેદન: રાહુલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક મોટું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે, પુલવામા હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈક પર દિગ્વિજય સિંહના નિવેદનથી રાહુલ ગાંધીએ દૂરી બનાવી લીધી છે. રાહુલ ગાંધીએ કહ્યું, દિગ્વિજય સિંહે જે કહ્યું તેનાથી તેઓ સહમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કેમ મને સેનામાં પૂરો વિશ્વાસ છે. દેશની સેના ગમે તે ઓપરેશન કરે, તેના પુરાવા આપવાની જરૂર નથી. એટલું જ નહીં રાહુલે કહ્યું કે દિગ્વિજય સિંહ પાર્ટીથી ઉપર નથી.
શું હતો સમગ્ર મામલો ?
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પુલવામામાં અમારા 40 CRPF જવાનો શહીદ થયા છે. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને તમામ જવાનોને એરલિફ્ટ કરવા વિનંતી કરી હતી, પરંતુ પીએમ મોદી માન્યા ન હતા. આવી ભૂલ કેવી રીતે થઈ ? તેમણે કહ્યું કે, આજ સુધી પુલવામા પર સંસદ સમક્ષ કોઈ રિપોર્ટ મૂકવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે, સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. પરંતુ પુરાવા દર્શાવ્યા ન હતા. તેઓ (ભાજપ) માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે.
શું કહ્યું રાહુલ ગાંધીએ?
રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાં છે. રાહુલ ગાંધીએ જમ્મુમાં પત્રકાર પરિષદમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધીને દિગ્વિજય સિંહના નિવેદન અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ દિગ્વિજય સિંહનું અંગત નિવેદન છે. હું તેમના નિવેદન સાથે સહમત નથી. મને દેશની સેનામાં પૂરો વિશ્વાસ છે.
#WATCH | We don't appreciate Digvijaya Singh's personal views. His views are outlying views. We are absolutely clear that the Armed Forces do their job exceptionally well and they do not need to provide proof of that: Congress MP Rahul Gandhi pic.twitter.com/O67iRg8aNk
કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દેશને આઝાદી અપાવી છે. દેશની તમામ સંસ્થાઓનું નિર્માણ થયું છે. કોંગ્રેસની વિચારધારા પર દેશનું નિર્માણ થયું છે. જ્યારે આપણે અંગ્રેજો સાથે લડી રહ્યા હતા ત્યારે ભાજપ અને આરએસએસના લોકો અંગ્રેજો સાથે ઉભા હતા.
નોંધનીય છે કે, સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવીને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ સંપૂર્ણપણે ઘેરાઈ ગયા છે. આ પહેલા કોંગ્રેસે પણ તેમના નિવેદનથી દૂરી કરી લીધી છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે કહ્યું, દિગ્વિજય સિંહની ટિપ્પણી તેમના 'વ્યક્તિગત મંતવ્યો' છે અને પાર્ટી દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું નથી. યુપીએ સરકાર દ્વારા 2014 પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. લશ્કરી કાર્યવાહી જે રાષ્ટ્રીય હિતમાં છે, કોંગ્રેસે તમામને સમર્થન આપ્યું છે અને કરતું રહેશે.