લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો જેમાં કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજ્ય અજય કુમાર મિશ્રા ટેનીને હટાવવાની માંગ કરી છે.
કોંગ્રેસે લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો
કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજ્ય અજય કુમાર મિશ્રા ટેનીને હટાવવાની માંગ કરી
અજય કુમાર મિશ્રાને હટાવીને પીએમ પોતાની તસવીરને સુધારી શકે - અધીર રંજન
કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજ્ય અજય કુમાર મિશ્રા ટેનીને હટાવવાની માંગ કરી
લખીમપુર હિંસા મામલામાં કોંગ્રેસે આકરું વલણ અપનાવતા લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવમાં કોંગ્રેસે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજ્ય અજય કુમાર મિશ્રા ટેનીને હટાવવાની માંગ કરી છે.
Congress MP Rahul Gandhi moves adjournment motion in Lok Sabha over Lakhimpur Kheri incident demanding removal of MoS Home Ajay Kumar Mishra pic.twitter.com/PZVFEbIx49
હકિકતમાં લોકસભામાં સ્થગન પ્રસ્તાવને રાહુલ ગાંધીએ રજૂ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અજય કુમાર મિશ્રાના દીકરા લખીમપુર ખીરી કાંડના ગુનેગાર છે. ત્યારે કોંગ્રેસ નેતા અધીર રંજને લખીમપુર હિંસા મામલાને લઈને કહ્યું કે રાહુલ ગાંધીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાને પદ પરથી હટાવે. તેમણે એમ પણ કહ્યું કે જો પીએમ મોદીમાં ગંગા માતા માટે જરા પણ ભક્તિ ભાવ છે તો તે અજય કુમાર મિશ્રાને પદ પરથી હટાવવા માટે પોતે આ નિર્ણય લે.
Rahul Gandhi has given an adjournment motion notice in Lok Sabha over the Lakhimpur Kheri incident. We will demand that the Government sack the minister (Ajay Mishra Teni): Adhir Ranjan Chowdhury, Leader of Congress in Lok Sabha pic.twitter.com/HH1i5ZciVK
અજય કુમાર મિશ્રાને હટાવીને પીએમ પોતાની તસવીરને સુધારી શકે - અધીર રંજન
અધીર રંજને આગળ કટાક્ષ કરતા કહ્યું કે પીએમ મોદી આ સમયે પોતાની તસવીર બદલવા પર કામ કરી રહ્યા છે અને અજય કુમાર મિશ્રાને હટાવીને તે પોતાની તસવીરને સુધારી શકે છે.
ષડયંત્રનો થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે લખીમપુર ખીરી કાંડની તપાસ કરી રહેલી એસઆઈટીએ પોતાની તપાસમાં જોયું કે ખેડૂતોને ગાડીથી કચડવાની સમગ્ર ઘટના સમજી વિચારીને થયેલું ષડયંત્ર હતુ. એસઆઈટીએ હવે આરોપી પર લગાવવામાં આવેલી કલમોને બદલી નાંખી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા સહિત 14 આરોપીઓ પર હવે બદ ઈરાદાતન હત્યાની જગ્યાએ હત્યાનો કેસ ચાલશે.
પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર ચઢાવી ગાડી
ઉલ્લેખનીય છે કે આ વર્ષે 3 ઓક્ટોબરે યુપીમાં લખીમપુર ખીરીના તિકુનિયામાં ચાર ખેડતોને એક એસયૂવી કારથી કચડી નાંખવામાં આવ્યા હતા. જ્યારે તેઓ એક કાર્યક્રમમાં કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી પાછા ફરી રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપ મુખ્યમંત્રી કેશવ મૌર્ય અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની હાજર હતા. ઘટના બાદ થયેલી હિંસામાં પણ કેટલાક લોકો માર્યા ગતા. ઘટના દરમિયાન એક સ્થાનીક પત્રકાર રમન કશ્યપ પણ માર્યા ગયા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો હતો કે એસયૂવી અજય મિશ્રા ટેનીની હતી અને તેમાં તેમને દીકરો આશિષ મિશ્રા હતો. આશિષની 9 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.