કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યા હતા કે "મોદી સરકારે દેશની અર્થવ્યવસ્થાને ડૂબાડી દીધી છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે 6 મહિના પહેલા રાહુલ ગાંધીએ આર્થિક સુનામી આવવાની વાત કહી હતી. કોરોના સંકટ દરમિયાન હાથીના બહાર દેખાય તેવા દાંત જેવુ પેકેજ જાહેર થયું હતું, પરંતુ તમે આજની હાલત જુઓ"
મોદી સરકારના આ નિર્ણયથી શરૂ થઈ ગઈ હતી દેશની તબાહી: રાહુલ ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ મોદી સરકાર પર યુવાઓને રોજગાર મામલે સાધ્યું નિશાન
આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં નોંધાયો છે 1996 પછીનો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો
કોવિડ 19 સંકટની વચ્ચે દેશના અર્થતંત્રમાં ચાલુ નાણાકીય વર્ષ 2020 - 21ના પહેલા ક્વાર્ટરમાં એપ્રિલ - જૂન ક્વાર્ટરમાં 23.9 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. નેશનલ સ્ટેટેસ્ટીકસ ઓફિસે GDPના આંકડાઓ જાહેર કર્યા હતા. છેલ્લા વર્ષની 2019 - 20ના આ ક્વાર્ટરમાં 5.2 ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી હતી.
आज से 6 महीने पहले राहुल गांधी जी ने आर्थिक सुनामी आने की बात बोली थी।
कोरोना संकट के दौरान हाथी के दांत दिखाने जैसा एक पैकेज घोषित हुआ।
GDP વિકાસ દરમાં ઘટાડાને લઈને વિપક્ષો મોદી સરકાર પર માછલાં ધોઈ રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહલ ગાંધીએ કહ્યું હતું કે અર્થતંત્રની બરબાદીની શરૂઆત નોટબંધીના નિર્ણયથી જ થઈ ગઈ હતી. ત્યાર પછી સરકારે એક પછી એક ખોટી નીતિયોની લાઇન લગાવી દીધી હતી.
GDP -23.9
देश की अर्थव्यवस्था की बर्बादी नोटबंदी से शुरू हुई थी।
રાહુલ ગાંધીએ બીજી એક ટ્વિટમાં સરકાર પર વધુ પ્રહાર કરતાં લખ્યું હતું કે "મોદી સરકાર ભારતનું ભવિષ્ય જોખમમાં મુકી રહી છે.તેમનો ઘમંડ તેમને JEE-NEET ના ઉમેદવારોની અસલ ચિંતા તેમજ SSC અને અન્ય પરીક્ષા આપનારા લોકોની માંગણીની અવગણના કરવા મજબૂર કરી રહ્યો છે. સરકાર નોકરી આપે, ખાલી નારાઓ નહીં.
Modi Govt is jeopardising India's future.
Arrogance is making them ignore the genuine concerns of the JEE-NEET aspirants as well as the demands of those who took SSC and other exams.
યુવાઓને ભાષણ નહીં પરંતુ નોકરીઓની જરૂર છે: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું હતું કે " SSC અને રેલવેએ ઘણી પરિક્ષાઓના પરિણામો કેટલાય વર્ષોથી રોકી રાખ્યા છે. કોઈનું પરિણામ અટવાયેલું છે તો કોઈની પરીક્ષા. સરકાર આખરે કયા સુધી યુવાનોના ધૈર્યની પરીક્ષા લેશે? યુવાનોને ભાષણ નહીં પણ નોકરી જોઈએ"
SSC और रेलवे ने कई सारी परीक्षाओं के परिणाम सालों से रोक कर रखे हैं। किसी का रिजल्ट अटका हुआ है, किसी की परीक्षा।
कब तक सरकार युवाओं के धैर्य की परीक्षा लेगी, कब तक?
આ સિવાય કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એક ટ્વિટમાં મોદી સરકાર પર GDP ઘટાડાને લઈને પ્રહાર કર્યા હતા, તેમણે એક શાયરી લખીને કહ્યું હતું કે "तुम्हारे पांव के नीचे कोई ज़मीन नहीं, कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं।" તેમણે UPA શાસન અને NDA શાસનના GDPને સરખાવટી એક તસવીર પણ શેર કરી હતી.