કૃષિ કાયદાઓ રદ થયા બાદ સોશિયલ મીડિયા પર હાલ રાહુલ ગાંધીનો જુનો વીડિયો જબરદસ્ત વાયરલ થયો છે.જેમા તેઓ એવું બોલી રહ્યા છે કે મારો શબ્દો યાદ રાખજો સરકારે આ કાયદાઓ રદ કરવાજ પડશે.
કૃષિ કાયદા રદ થયા બાદ રાહુલગાંધીનો જૂનો વીડિયો વાયરલ
ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
અન્નદાતાના સત્યાગ્રહ સામે ઘમંડનું માતું નમ્યું : રાહુલ ગાંધી
કૃષિ કાયદાઓ મોદી સરકાર દ્વારા પરત ખેચી લેવામાં આવ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમની પ્રતિક્રિયા આપી છે. જેમા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને એવું કહ્યું કે ખેડૂતોએ બધો ઘમંડ ઉતારી દીધો છે.
વિપક્ષ દ્વારા જુદા જુદા નિવેદનો અપાયા
પીએમ મોદીએ આજે સંબોધન આપતા એવું કહ્યું હતું કે આ ત્રણેય કાયદાઓને કૃષિ સુધાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે અમે ખેડૂતોને આ મુદ્દો સમજાવી ન શક્યા. જેના કારણે આજે અમે આ ત્રણેય કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ આપેલા સંબોધન બાદ વિપક્ષ દ્વારા એક પછી એક ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया।
अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
સૌથી પહેલાતો રાહુલ ગાંધી દ્વારા એવું ટ્વીટ કરવામાં આવ્યું હતું, કે દેશના અન્નદાતાના સત્યાગ્રહ સામે ઘમંડનું માથુ નમી ગયું છે. સાથેજ તેમણે પોતાનો જુનો વીડિયો પણ શેર કર્યો જેમા તેમણે કહ્યું હતું કે ખેડૂતોને મારુ પુરુ સમર્થન છે. સાથેજ તેઓ એવું પણ બોલ્યા હતા કે મને તેમના પર ઘણો ગર્વ છે. વધુમાં આ વીડિયોમાં રાહુલ ગાંધી એવું પણ બોલ્યા હતા કે સરકારે આ ત્રણેય કૃષિ કાયદાઓને પરત લેવાજ પડશે.
હાલ આંદોલન સમાપ્ત કરવાની રાકેશ ટિકૈતે ના પાડી
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા એવુ ટ્વીટ કરવામાં આવ્યું છે કે ટૂટી ગયું અભિમાન , જીતી ગયો મારા દેશનો ખેડૂત. ગત વર્ષે કેન્દ્ર દ્વારા આ કાયદાઓ બનાવામાં આવ્યા હતા અને જ્યારથી કાયદા બન્યા ત્યારથી ખેડૂતો આ કૃષિ કાયદાને રદ કરવાનીજ માગ કરી રહ્યા હતા. જોકે સમગ્ર મામલે ખેડૂત નેતા રાકૈશ ટિકૈત દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આંદોલન અમે હાલ સમાપ્ત નહી કરીએ એ દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કાયદાઓ રદ કરવામાં આવે.