ગુજરાતના દરિયાઈ કિનારે આવનારા વાવાઝોડાને લઈ વાવાઝોડાને લઈ કોંગ્રેસના નેતાઓને લોકોની મદદ માટે રાહુલ ગાંધીએ હાકલ કરી
તૌકતેને લઈને રાહુલ ગાંધીનુ નિવેદન
`કોંગ્રેસના નેતાઓ લોકોની મદદે લાગી જાય'
`જરૂરિયાતમંદોને કોઈપણ ભોગે મદદ કરો'
ગુજરાતના દરિયા કિનારે આવનારા 'તૌકતે' વાવાઝોડાને લઈને રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે. વાવાઝોડાને લઈ કોંગ્રેસના નેતાઓને લોકોની મદદ માટે હાકલ કરી છે. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ લોકોની મદદ માટે પહોંચે તેવું રાહુલ ગાંધીએ સંદેશો આપ્યો છે. જરૂરિયાતમંદોને કોઈપણ ભોગે મદદ કરો. ગુજરાત, કેરળ, મહારાષ્ટ્ર, ગોવા અને તમિલનાડુમાં વાવાઝોડા તૌકતેની અસર જોવા મળશે.
મુખ્યમંત્રીએ વાવાઝોડાની તૈયારી અંગે આપ્યું નિવેદન
રાજ્ય પર સંભવિત તૌકતે વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે તૌકતે વાવાઝોડાને લઇને CM રૂપાણીએ કહ્યું કે વાવાઝોડાને લઇ રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાઓને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. NDRFની ટીમો પહોંચી ગઇ છે. એકપણ મોત ના થાય તે દિશામાં કામગીરી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડું અસર કરશે.