મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની હલ્લાબોલ રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા.
દિલ્હીમાં મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની મોટી રેલી
હલ્લાબોલ રેલીમાં રાહુલના સરકાર પર પ્રહાર
અમે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાં, સરકારે ફરી મૂક્યા
દિલ્હીમાં મોંઘવારીના વિરોધમા પાર્ટીની હલ્લાબોલ રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશને રોજગારી લઘુ અને મધ્યમ વ્યવસાયવાળા અને ખેડૂતો આપે છે પરંતુ આ લોકોની કમર તોડી નાખવામાં આવી છે. આજે જે બેરોજગારી દેખાઈ રહી છે તે આવનારા સમયમાં વધશે.
देश को रोजगार लघु और मध्यम व्यवसाय वाले और किसान देते हैं लेकिन इन लोगों की रीढ़ की हड्डी नरेंद्र मोदी जी ने तोड़ दी है। जो आज बेरोजगारी दिख रही है वो आने वाले समय में और भी बढ़ेगी: 'हल्ला बोल' रैली में कांग्रेस सांसद राहुल गांधी, दिल्ली pic.twitter.com/s6MjrVLtaL
કોંગ્રેસની વિચારધારા દેશને પ્રગતિના પથ પર લાવશે
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા જ દેશને બચાવી શકે છે. કોંગ્રેસની વિચારધારા દેશને પ્રગતિના પથ પર લાવી શકે છે. સરકારે અમારા માટે રસ્તાઓ બંધ કરી દીધા છે. સંસદનો રસ્તો બંધ કરી દીધો. સંસદમાં વિપક્ષનું માઈક બંધ હોય છે, અમને બોલવા દેવામાં આવતું નથી. ચૂંટણી પંચ, ન્યાયતંત્ર પર દબાણ છે. એટલા માટે જનતાની વચ્ચે જઈને જનતાએ દેશનું સત્ય કહેવું પડશે. એટલા માટે કોંગ્રેસ પાર્ટી ભારત જોડો યાત્રા શરૂ કરી રહી છે.
#WATCH Congress MP Rahul Gandhi talks about price rise in petrol, diesel and Atta, during the party's 'Halla Bol' rally against inflation pic.twitter.com/qpf1Mg7pTv
27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા
રાહુલ ગાંધીએ કહ્યું કે અમે યુપીએ સરકારના શાસનમાં 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. આ રાઇટ ટુ ફૂડ, મનરેગા, લોન માફીની યોજનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ હવે મોદી સરકારે 23 કરોડ લોકોને ફરી ગરીબીમાં મૂકી દીધા છે. અમે 10 વર્ષમાં જે કર્યું, તે 8 વર્ષમાં પૂર્ણ કર્યું.
ઈડીથી નથી ડરતો, 55 કલાક 5 વર્ષ સુધી મારી પૂછપરછ કરતા રહો
રાહુલ ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ઈડીએ મારી 55 કલાક સુધી પૂછપરછ કરી, હું તમારા ઈડીથી ડરતો નથી. તમે 55 કલાક કે 5 વર્ષ સુધી મારી પૂછપરછ કરતા રહો, તેનાથી કોઈ ફરક નહીં પડે.
70 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આવી મોંઘવારી દેખાડી નથી
રાહુલ ગાંધીએ કૃષિ કાયદા માટે કહ્યું કે આ ત્રણેય કાયદા ઉદ્યોગપતિઓ માટે લાવવામાં આવ્યા છે. ખેડૂતોની તાકાતને કારણે આ કાયદાઓ પાછા ખેંચવાની ફરજ પડી હતી. ભારતમાં સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. જીએસટીએ નાના વેપારીઓને દૂર કર્યા છે અને રોજગાર તેમની પાસેથી આવે છે. તમે પૂછો કે કોંગ્રેસે શું કર્યું. હું તમને કહું છું કે 70 વર્ષમાં કોંગ્રેસે ક્યારેય આવી મોંઘવારી દેખાડી નથી. રાહુલે કહ્યું કે માત્ર બે ઉદ્યોગપતિઓ મોદી સરકારને લઈ રહ્યા છે. તમારા ભય અને દ્વેષનો લાભ તેમના હાથમાં જઈ રહ્યો છે. છેલ્લા 8 વર્ષમાં બીજા કોઈને ફાયદો થયો નથી. ઓઇલ, એરપોર્ટ, મોબાઇલનું આખું સેક્ટર આ બંને ઉદ્યોગપતિઓને આપવામાં આવી રહ્યું છે.
People facing lots of hardships, and when Oppn tries to raise their voice in Parliament, Modi govt does not allow it: Rahul Gandhi
મોંઘવારી, બેરોજગારી અને ભવિષ્યનો ડર
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં નફરત વધી રહી છે. ભારતમાં ભય વધી રહ્યો છે. મોંઘવારી, બેરોજગારી અને ભવિષ્યનો ડર વધી રહ્યો છે. ભાજપ અને આરએસએસના નેતાઓ દેશના ભાગલા પાડે છે અને જાણી જોઈને દેશમાં ભય પેદા કરે છે. તેઓ લોકોને ડરાવે છે અને નફરત પેદા કરે છે.
'Three black farm laws' brought in not to help farmers, but to benefit 2-3 industrialists: Rahul Gandhi
અશોક ગેહલોતે પણ કર્યાં આકરા પ્રહાર
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, દેશમાં બંધારણની ઐસીતૈસી કરવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદી 2014માં પ્રચાર કરતા હતા, હું કાળું નાણું લાવીશ, મોંઘવારી ખતમ કરીશ, 2 કરોડ નોકરીઓ આપીશ, પરંતુ હવે શું કહેવાનું છે. આ સાથે જ ગેહલોતે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલના આંદોલનને યૂપીએ સરકાર વિરુદ્ધ ષડયંત્ર ગણાવ્યું હતું. ગેહલોતે કહ્યું કે અમારી સરકાર સારું કામ કરી રહી છે. અમે રોજગાર માટે કાયદો આપ્યો હતો.