રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં વિવાદસ્પાદ નિવેદન આપ્યું છે. લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાવા મુદ્દે રાહુલ ગાંધીએ આ કટાક્ષ કર્યો હતો. જો કે, હવે રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચંદ્રપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ જ્યાં જાય છે ત્યા કોઇની બુરાઇ કરે છે. મોદીજીના ગુરૂ કોણ છે. અડવાણી જી. શિષ્ય ગુરૂની સામે હાથ પણ નથી જોડતા. પીએમ મોદીએ અડવાણીને જૂતું મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા છે અને તેઓ હિન્દુ ધર્મની વાત કરે છે. હિન્દુ ધર્મમાં ક્યાં લખ્યું છે કે લોકોને મારવા જોઇએ.
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનું અપમાન કર્યું છે. પોતાના ગુરૂનુ અપમાન કરવું હિન્દુ સંસ્કૃતિ નથી.
લાલકૃષ્ણ અડવાણીની ટિકિટ કપાવા મુદ્દે રાહુલ ગાંધીએ આ કટાક્ષ કર્યો હતો. જો કે, હવે રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર બેઠક પરથી ટિકિટ કપાયા બાદ ગુરૂવારે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ પોતાના બ્લોગમાં કહ્યું હતું કે ભાજપે પોતાના રાજકીય વિરોધીઓને ક્યારે રાષ્ટ્ર વિરોધ નથી માન્યા.