મહુવામાં રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર; "મને દુ:ખ થાય છે કે આજે યુવાઓ બેરોજગાર છે ખેડૂતોને સારા ભાવ નથી મળતા"
રાહુલ ગાંધીના ભાજપ પર પ્રહાર
"દુ:ખ થાય છે કે, અન્જિનયર મૂંજરી કરે છે"
"સરકાર નથી ઈચ્છતી કે તમે સારું શિક્ષણ મેળવો"
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે. ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ માટે આ સત્તા, શાસન ને અસ્તિત્વ તથા એન્ટ્રી અકબંધ રાખવાનો આ જંગ છે. ત્યારે ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે તો કોંગ્રેસના રાહુલ ગાંધી અને આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મહુવામાં જનસભા યોજાઈ હતી જેમાં તેમણે ભાજપ આકરા પ્રહાર કર્યો હતાં.
રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર
તેમણે કહ્યું કે, ભારત જોડા યાત્રામાં ઘણા લોકો સામેલ થઈ રહ્યાં છે અને એક નદીના પ્રવાહની જેમ ચાલી રહી છે પરંતું તેને પુરતો કવરેજ નથી મળી રહ્યો તેમણે કહ્યું આજે મને દુ:ખ થાય છે કે આજે યુવાઓ બેરોજગાર છે ખેડૂતોને સારા ભાવ નથી મળતા તેમણે કહ્યું કે, માતા-પિતાએ પેટે પાટામાંથી ભણાવે તે અન્જિનયર બન્યો હોય પરંતું તે મૂંજરી કરે છે તે વાતથી આજે ખૂબ દુ:ખ થાય છે. તેમણે કહ્યું કે, ગઈ કાલે ભારત જોડો યાત્રામાં મને એક યુવક મળ્યો અને ગળે મળીને રડવા લાગ્યો હતો મેં પૂછ્યું કે કેમ રડે છે તેણે કહ્યું કોરોનામાં મારો પરિવાર મૃત્યુ પામ્યો છે. તેમણે કહ્યું કે, હું નાના હતો ત્યારે દાદી ઈન્દીરાજીએ મને એક પુસ્તક આપ્યું હતું જે આદિવાસી બાળક વિશેનું હતું જેનું નામ હતો 'હિન્દુ એક આદિવાસી બચ્ચા' જે હું મારા દાદી સાથે વાંચતો હતો અને એક દિવસ મેં દાદીને કહ્યું કે આ પુસ્તક મને ખૂબ સરસ લાગે છે તેમને કેવું લાગે છે ત્યારે તેમણે કહ્યું કે, રાહુલ આ હિન્દુસ્થાનના અસલી માલિક આદિવાસી જ છે તેમણે કહ્યું ભારત સમજવું છે તો આદિવાસીઓના જીવન સમજવું જરૂરી જે ત્રણ બાબત સાથે સંકળાયેલા છે જળ, જંગલ અને જીવન.
"તમે વનવાસી નહી આદિવાસી છો"
તેમણે કહ્યું કે, તમે વનવાસી નહી આદિવાસી છો તેમણે કહ્યુ કે, આ સરકાર નથી ઈચ્છતી કે, તમે સારું શિક્ષણ મેળવો, રોજગારી પાપ્ત કરો, શહેરમાં વસો આ લોકો ફક્ત તમે જંગલમાં જ રહો તે ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તમારી પાસેથી જંગલ છીનવાનું કામ કરે છે અને જો આવું જ રહેશે તો થોડા જ વર્ષમાં જંગલનો કબજો બ-ચાર ઉદ્યોગપતિઓના હાથમાં હશે. તેમણે કહ્યું આ દેશેનોમાં તમારો સંપૂર્ણ અધિકાર છે. તેમણે કહ્યું કે એક તરફ સારૂ શિક્ષણ, રોજગારી જેવી સારી બાબત તો બીજી તરફ દુ:ખ છે.
રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ કહ્યું કે, ગાંધીજીની પ્રેરણાથી અમે ભારત જોડો યાત્રા શરૂ કરી છે આ યાત્રા પ્રેમ અને લાગણીની યાત્રા છે અને યાત્રામાં બધુ જ સારૂ છે તેમણે કહ્યું કે, ભારત જોડો યાત્રાએ ગુજરાતનો ઈતિહાસ, ગુજરાતના સંસ્કાર સાથે વરેલી છે તેમણે કહ્યું કે, સરકાર લોકોનું સાંભળતી નથી અને કોંગ્રેસના આગેવાનો તમારા માટે લડી રહ્યા છે તેમણે કહ્યું કે, ભારતના લોકો તમને આદીવાસી નથી કહી રહ્યા વનવાસી કહી રહ્યા છે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ ઈચ્છે છે કે તમે જંગલામાં જ રહો તેમણે કહ્યું કે, આદિવાસીઓ ભારતના પહેલા અને અસલી માલિક રાહુલ ગાંધી જણાવ્યું કે, કેટલાક એમના ઉદ્યોગપતિ મિત્રોને જંગલો વેચી રહી છે સરકાર તેમણે કહ્યું કે, થોડા સમયમાં જ જંગલની જમીન ઉદ્યોગપતિઓને સરકાર આપશે. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, આદિવાસીઓને ફાયદો કરાવતા કાયદા લાગૂ થતા નથી