રાહુલ ગાંધીએ કહ્યું હતું કે થોડા સમયમાં ભારત એક કોરોના વેક્સિન પ્રોડ્યુસ કરવા વાળો દેશ બની જશે. આ રસીની ઉપલબ્ધતા સૌની પહોંચમાં બને તેવી અને તેનું ન્યાયી વિતરણ સુલભ કરવા અને સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ રીતે એક ડિફાઇન્ડ, એકીકૃત અને યોગ્ય વ્યૂહરચનાની જરૂર છે.
રાહુલે રસીના વિતરણ માટે એક એકીકૃત વ્યૂહરચના બનાવવાની કરી માંગણી
દેશમાં અત્યારે પીએમ મોદીએ કહ્યું હતું તેમ 3 કોરોના વેક્સિન હ્યુમન ટ્રાયલ્સના સ્ટેજમાં પ્રવેશી ચૂકી છે, અને એવી આશા પણ છે કે 2020ના એન્ડીંગ સિંધિમાં ભારતને કોવિડ વેક્સિન મળી શકે છે, આ માટે રાહુલ ગાંધીએ ભારત સરકાર રસીના વિતરણને લઈને એક સ્પષ્ટ વ્યૂહરચના બનાવે તે બાબતે ભાર મૂક્યો હતો.
A fair and inclusive Covid vaccine access strategy should have been in place by now.
રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી મોદી સરકારને લઈને આક્રમક છે. ખાસ કરીને કોવિડ મુદ્દે મોદી સરકારની નીતિની તેઓ ખૂલીને આલોચના કરતાં રહ્યા છે. જ્યારથી ભારતમાં કોવિડનું આગમન થયું ત્યારથી મોદી સરકારના દરેક સ્ટેપની રાહુલે ખુલીને ટીકા કરી છે અને હવે કોવિડ વેક્સિનના વિતરણ બાબતે તેમણે મોદી સરકારને અડફેટે લીધી છે.
રાહુલ ગાંધીએ પોતાના જ એક ટ્વિટને રિટ્વિટ કર્યું હતું જેમાં તેમણે એ મતલબની વાત કરી હતી કે હાલના સમય સુધી ભારત સરકાર દ્વારા સૂચિત રસીનું વિતરણ દેશમાં કઈ રીતે કરાશે અને કઈ રીતે તે દેશના મોટા ભાગના લોકોની પહોંચમ હશે તે માટેની એક ન્યાયી અને વ્યાપક કોવિડ રસીની વ્યૂહરચના હમણાં સુધીમાં બની જવી જોઈતી હતી. પરતું સરકાર આ મુદ્દે ગંભીર લાગી રહી નથી.
રાહુલે તેવા અર્થમાં પણ કહ્યું હતું કે ભારત સરકારની તૈયારીઓના હજી સુધી કોઈ સંકેતો મળી રહ્યા નથી. સરકાર આવા મુદ્દે નીરસ જણાઈ રહી છે અને તેમની તૈયારી વિનાની વ્યુહ રચના દેશ માટે ચિંતાજનક છે.