ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે પોતાની કમર કસી રહી છે. ત્યારે હાલ દ્વારકા ખાતે ચાલી રહેલા ત્રિ દિવસીય શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજર રહ્યાં હતાં.
રાહુલ ગાંધીએ નેતાઓ વિશે કર્યો કટાક્ષ
કોંગ્રેસમાં બે વર્ગ છે એક ડંડા ખાય અને બીજા ACમાં બેસે
ACમાં બેસતા લોકો માટે અમે BJPને વિનંતી કરીએ છીએ કે લઇ જાઓ
એવા લોકો જોઈએ કે જેનામાં DNA જ કોંગ્રેસનું હોય
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની ત્રિ-દિવસીય શિબિર દ્વારકા ખાતે ચાલી રહી છે. ચિંતન શિબિરના બીજા દિવસે રાહુલ ગાંધી હાજર રહ્યા હતા. તેમણે 2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીનું પક્ષપલટું નેતાઓને લઈને મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં બે વર્ગ છે એક ડંડો ખાય છે અને બીજો ACમાં બેસે છે. અમે ભાજપને વિનંતી કરીએ છીએ કે, ACમાં બેસતા લોકોને લઈ જાય અમને એવા લોકો જોઈએ છે કે, જેનામાં DNA કોંગ્રેસનું હોય કોંગ્રેસને માત્ર 25 લોકોની જરૂર છે. જેઓ લડત માટે તૈયાર હોય
ACમાં બેસતા લોકો માટે અમે BJPને વિનંતી કરીએ છીએ કે લઇ જાઓ
તેમણે વધઉમાં ઉમેર્યું કે, તેમણે ભાજપ સરકાર આકરાં પ્રહાર કરતાં જણાવ્યું કે, હાલ 2-3 લોકો ગુજરાતને ચલાવી રહ્યા છે, નેતાઓના હાથ પગ પકડવાની જરૂર નથી. જે લોકો કામ કરે એને આગળ વધવાનો મોકો આપો અને જે લોકો કામ નથી કરતા એને બાજુમાં રાખો, તેમણે વધુમાં ઉમેર્યું કે, ભાજપને હજુ કેટલા કોંગ્રેસી નેતાઓ જોઈએ છે? જેટલા જોઈએ એટલા નેતાઓ કોંગ્રેસથી લઈ જાઓ,10 ડિસેમ્બર અગાઉ કોઈ કોંગ્રેસી નેતા હાર નહી માને,કોંગ્રેસ એ ગુજરાતના યુવાનોનું સંગઠન છે.કોંગ્રેસને વિચારધારા ગુજરાતે આપી છે. ગુજરાત માટે નવુ વિઝન બતાવવું પડશે, ગુજરાતીઓ પાસે માત્ર મત માંગશો તો નહી મળે.