ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે એવામાં આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદની અંદર નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીએ આ નિવેદનના આધારે પીએમ મોદી પર નિશાન સાધ્યું.
રક્ષામંત્રીના નિવેદનથી સાફ થયું કે પીએમ મોદીએ દેશને ગેરમાર્ગે દોર્યો : રાહુલ ગાંધી
સરકાર નથી ઈચ્છતી કે અમારા બધાનું મોં ખુલે : અધીર રંજન ચૌધરી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે મંગળવારે પહેલીવાર સંસદમાં ભારત અને ચીન વચ્ચેના વિવાદ પર નિવેદન આપ્યું. જોકે તે બાદ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે પીએમ મોદીનાં દાવા પર સવાલ ઉઠાવ્યા, તેમણે કહ્યું કે ચીન તરફથી અતિક્રમણને લઈને પીએમ મોદીએ દેશને ગેરમાર્ગે દોર્યો એ રક્ષા મંત્રીના નિવેદનથી જ સાફ થઇ ગયું છે.
રાહુલે કહ્યું કે રક્ષામંત્રીના નિવેદનથી સાફ થયું છે કે મોદીજીએ દેશને ચીની દબાણ મુદ્દે દેશને ગેરમાર્ગે દોર્યો. આપણો દેશ હંમેશા ભારતીય સેના સાથે ઉભી રહી છે અને રહેશે જ. રાહુલ ગાંધીએ પીએમ મોદીથી સવાલ કર્યો કે તમે ક્યારે ચીન વિરુદ્ધ ઉભા થશો અને ચીનથી આપણા દેશની જમીન ક્યાર પાછી લેશો ?
रक्षामंत्री के बयान से साफ़ है कि मोदी जी ने देश को चीनी अतिक्रमण पर गुमराह किया।
हमारा देश हमेशा से भारतीय सेना के साथ खड़ा था, है और रहेगा।
लेकिन मोदी जी,
आप कब चीन के ख़िलाफ़ खड़े होंगे?
चीन से हमारे देश की ज़मीन कब वापस लेंगे?
બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુર્જેવાલાએ કહ્યું કે રાજનાથ જી, દેશ સેના સાથે એકતાથી ઉભો છે. તમે બતાવો કે અમારી જમીન પર ચીને કબજો કરવાની હિંમત કઈ રીતે કરી ?
मा. राजनाथ जी,
देश सेना के साथ एकजुट है। पर ये बताएँ-
चीन ने हमारी सरज़मीं पर क़ब्ज़े का दुस्साहस कैसे किया?
मोदीजी ने चीन द्वारा हमारे क्षेत्र में घुसपैठ न करने बारे गुमराह क्यों किया?
આ પહેલા સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે કોંગ્રેસે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર ચર્ચાની માંગ કરી અને સદનથી વોકઆઉટ કરી નાખ્યું. કહેવામાં આવ્યું કે કોંગ્રેસ સાંસદ રક્ષામંત્રીથી સવાલ કરવા માંગતા હતા પણ સ્પીકરે મંજૂરી ન આપતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું.
#WATCH: Hamara maang sirf ek hi tha ki desh hamara bhi hai, ye desh sirf Rajnath Singh ji ka nahi, ye desh hum sab ka hai...: Congress MP Adhir Ranjan Chowdhury after Congress MPs staged walkout from Lok Sabha demanding discussion on India-China border issue #MonsoonSessionpic.twitter.com/oIsKGe5b8C
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે આ દેશ અમારો પણ છે, આ દેશ માત્ર રાજનાથ સિંહનો નથી, આ દેશ અમારા બધાનો છે. અમે અમારા મનની વાત કહેવા માંગતા હતા. અમે દેશના સૈનિકોના સન્માનનો મોકો ગુમાવવા માંગતા ન હતા પણ સરકાર નથી ઈચ્છતી કે અમારા બધાનું મોં ખુલે.