રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે ફરી એક વાર કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતા કહ્યું કે સરકારે હવે તો રવિવાર-સોમવારનો ફરકજ પૂરો કરી નાખ્યો છે. સમગ્ર મામલે તેમણે ટ્વીટર પર ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીના બેરોજગારી મુદ્દે કેન્દ્ર પર પ્રહાર
ટ્વીટર પર ટ્વીટ કરીને કર્યા પ્રહાર
કહ્યું રવિવાર- સોમવાર ફરક હવે પૂરો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેરોજગારીને લઈને ફરી વખત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપ સરકારે એવો વિકાસ કર્યો છે કે રવિવાર અને સોમવારનો હવે ફર્ક દેખાતોજ નથી.
भाजपा सरकार का ‘विकास’ ऐसा कि रविवार-सोमवार का फ़र्क़ ही ख़त्म कर दिया…
વધુમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સામે પ્રહાર કરતા કહ્યું કે લોકો પાસે નોકરીજ નથી શું રવિવાર અને શુ સોમવાર. આ ટ્વીટ કરવાની સાથે રાહુલ ગાંધીએ એક આર્ટીકલ પણ શેર કર્યો છે. જે આર્ટીકલમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 4 હજાર જેટલી પ્રાઈવેટ કંપનીઓને તાળા લાગી શકે છે.
રવિવાર-સોમવારનો ફરક પૂરો: રાહુલ ગાંધી
આપને જણાવી દઈએ છેલ્લા 4 વર્ષોમાં અમેરિકાની 3 ઓટો કંપની પણ ભારતમાંથી પોતાનો કારોબાર હટાવી ચુકી છે. સમગ્ર પરિસ્થિતીને લઈને રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારનો વિકાસ એવો કે રવિવાર સોમવારનો ફરક હવે પૂરો થયો. કારણકે લોકો પાસે નોકરીજ નથી તો શું રવિવાર અને શું સોમવાર.
ખેડૂત માટે પણ ટ્વીટ કર્યું હતું
રાહુલ ગાધી અવાર નવાર કેન્દર સરકાર પર પ્રહાર કરતા હોય છે. તેમા પણ હવે તેઓ ખાસ કરીને ટ્વીટર પર પ્રહાર કરતા હોય છે. અગાઉ પણ તેમણે ખેડૂત આંદોલન મુદ્દે ટ્વીટર પર ટ્વીટ કર્યું હતું. જેમા તેમણે એવું કહ્યું હતું કે દેશના લોકોનું પેટ ભરનાર વ્યક્તિ જ્યારે પોતાનું પેટ ન ભરી શકે ત્યારે શું કરવું.
70 વર્ષમાં કોંગ્રેસે જે બાનાવ્યું તે વેચી કાઢ્યું: રાહુલ ગાંધી
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગત શનિવારે ભાજપ સરકાર પર પ્રહાર કરતા એવું પણ કહ્યું હતું કે મોદી સરકારેલ 7 વર્ષોમાં એ બધુંજ વેચી કાઢ્યું જે કોંગ્રેસે 70 વર્ષ મહેનત કરીને બનાવ્યું હતું.