અવાર નવાર મોદી સરકારને અડફેટે લેતા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે આજે મોદી સરકારની નીતિઓ અને જનતાને કરેલ વાયદાઓના સંદર્ભે કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે "સવાલ પૂછો તો જવાબ ગાયબ થઈ જાય છે"
રાહુલ ગાંધીએ ફરી સાધ્યું મોદી સરકાર પર નિશાન
ચૂંટણી વચનોને યાદ કરાવીને કહ્યું ગાયબ છે આ બધુ
છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધી ટ્વિટર પર છે એક્ટિવ મોડમાં
નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી પીએમ મોદી અને તેમની સરકાર રાહુલ ગાંધીના નિશાના પર છે, અવાર નવાર તેઓ આ બાબતે ટ્વિટ કરતાં રહે છે, ત્યારે તાજેતરમાં પણ તેમણે મોદી સરકારની ટીકા કરતું ટ્વિટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, 12 કરોડ લોકોની રોજગારી ગાયબ છે.
🔹 12 करोड़ रोज़गार गायब
🔹 5 ट्रिलियन डॉलर अर्थव्यवस्था गायब
🔹 आम नागरिक की आमदनी गायब
🔹 देश की खुशहाली और सुरक्षा गायब
🔹 सवाल पूछो तो जवाब गायब।#विकास_गायब_है
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 12 કરોડના રોજગાર ગાયબ છે, 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ગાયબ છે, સામાન્ય માણસની રોજીરોટી ગાયબ થઈ ગઈ છે, દેશની ખુશહાલી અને સુરક્ષા પણ ગાયબ થઈ ગઈ છે અને આ બધા વચ્ચે જો સવાલ પૂછી તો જવાબો ગાયબ થઈ જાય છે."
નોંધનીય છે કે હાલમાં જ થોડા સમય પહેલા આર્થિક વર્ષ 2020 - 21ના પ્રથમ ક્વાર્ટરના GDP ના આંકડાઓ જાહેર થયા હતા, જેમાં GDPમાં 23.9 ટકાનો મહાભયંકર ઘટાડો નોંધાયો હતો.
5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમીનું છે લક્ષ્ય
ઉલ્લેખનીય છે કે કોરોના પહેલા અને વિધ વિધ સમયે પીએમ મોદીએ ભારતના અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરની સાઈઝનું અર્થતંત્ર બનાવવાનો વાયદો કર્યો હતો, અને આ માટે 2024 નું વર્ષ પણ લક્ષ્ય વર્ષ તરીકે નિર્ધારિત કર્યું હતું, જો કે થયું તેનાથી ઠીક ઊલટું, હાલમાં ભારતીય અર્થતંત્ર કોવિડ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેથી તેના વિકાસની શક્યતાઓ ઓછી છે.
આવી જ રીતે પીએમ મોદીએ દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાની વાત કરી હતી જો કે એક રિપોર્ટ પ્રમાણે કોરોનાના લીધે ભારતમાં 12 કરોડ લોકોના રોજગાર પ્રભાવિત થયા હતા, આમ રાહુલ ગાંધીએ પીએમ મોદીની નીતિઓ અને કામગીરી પર કટાક્ષ કર્યા હતા.