ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી હતી. જેના બદલામાં રાહુલ ગાંધીએ 11 પાનામાં પોતાનો જવાબ ચૂંટણી પંચને રજૂ કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના જવાબમાં કહ્યું કે, મેં આચાર સંહિતા ભંગ કરી નથી.
ચૂંટણી પંચ તપાસમાં નિષ્પક્ષ રહે અને અમારી સાથે ભેદભાવ ના રાખે. મારી ઈચ્છા પાયાવિહોણા નિવેદન આપીને લોકોને ઉશ્કેરવાની નથી. ભાજપ ચૂંટણી પ્રચારમાં મારી પર રોક લાગે તે માટે ફરિયાદ કરે છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 11, 2019
મારી ટિપ્પણી માત્ર મોદી સરકારની નીતિઓ, કાર્યક્રમો અને કાર્ય સુધી જ સિમિત હતી. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ શહડોલમાં પીએમ મોદી વિરૂદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી કે, મોદી સરકાર એવો કાયદો લાવ્યા છે કે, આદિવાસીઓને ગોળીઓ મારવામાં મંજૂરી હશે.
ઉલ્લેખનીય છે કે, આચારસંહિતાને લઇના ઉલ્લેઘન મામલે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે અને જવાબ આપવા જણાવ્યું છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલે 11 પાનાનો પોતાનો જવાબ ચૂંટણી પંચને લખી મોકલ્યો છે. જેમાં તેમણે ચૂંટણી પંચ તપાસમાં નિષ્પક્ષ રહે અને અમારી સાથે ભેદભાવ ના રાખે તેવી વાતનો ઉલ્લેખ કર્યો છે.