2019 સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કરશે નહીં. પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી પી ચિદમ્બરમએ આ વાત એક મીડિયાને કહી. એમને કહ્યું કે રાહુલ જ નહીં કોંગ્રેસ અન્ય કોઇ પણ વ્યક્તિની દાવેદારી ની જાહેરાત કરશે નહીં.
કોંગ્રેસ લાંબા સમયથી ક્ષેત્રીય પાર્ટીઓને એકઠા કરવાનો પ્રયત્નમાં લાગી છે કારણ કે 2019માં એક મજબૂત વિપક્ષના રૂપમાં ભાજપનો સામનો કરી શકાય. કોંગ્રેસ આ ગઠબંધનનું નેતૃત્વ કરવા ઇચ્છે છે પરંતુ એને લઇને ક્ષેત્રીય પાર્ટીઓના મંતવ્ય અલગ અલગ છે.
ચિદમ્બરમે કહ્યું 'અમે ક્યારેય કહ્યું નથી કે અમે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા ઇચ્છીએ છીએ. જ્યારે કેટલાક કોંગ્રેસ નેતાઓએ આ પ્રકારની વાત કરી હતી ત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ એની પર દખલ કરી હતી અને એમને આવી વાતો નહીં કરવા કહ્યું હતું. અમે ભાજપને સત્તાની બહાર કરવા ઇચ્છીએ છીએ. અમે એક વૈકલ્પિક સરકાર બનાવવા ઇચ્છીએ છીએ દે પ્રોગ્રેસિવ છે વ્યક્તિની આઝાદીનું સમ્માન કરો ટેક્સ ટેરિઝમને પ્રોત્સાહન આપશો નહીં.'
ચિદમ્બરે એવો સ્વિકાર કર્યો કે છેલ્લા 2 દશકોમાં રાષ્ટ્રીય પાર્ટીઓના વોટ બેંકમાં કૂદકો મારીને ક્ષેત્રીય પાર્ટીઓની સ્થિતિ મજબૂત થઇ છે. ભાજપ અને કોંગ્રેસ બંને જ પાર્ટીઓના સંયુક્ત વોટ શેર પણ 50 ટકાથી ઓછા છે. એમને આરોપ લગાવ્યો હતો કે ક્ષેત્રીય પાર્ટીઓને કોંગ્રેસ સાથે હાથ મિલાવતા રોકવા માટે કેન્દ્રની ભાજપ સરકાર ભયનો માહોલ પેદા કરવાનો પ્રયત્ન કરી રહી છે.