ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફલૂના સમાચાર વચ્ચે બુધવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત બીજા વિપક્ષી નેતાઓએ નાણાં પ્રધાન અરૂણ જેટલીની તબિયતમાં ઝડપથી સુધારો થાય તેવી પ્રાર્થના કરી.
રાહુલ ગાંધીએ ટવિટ કરી જણાવ્યું હતું કે આ મુશ્કેલીભર્યા સમયમાં હું અને કોંગ્રેસ પાર્ટી તમારી તેમજ તમારા પરિવાર સાથે છે. વિપક્ષી નેતાઓની આ પ્રતિક્રિયાઓ અરૂણ જેટલીની સારવાર માટે અમેરિકા ગયા બાદ આવી.
ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી ગત વર્ષે બિમારીના કારણે રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રહ્યાં હતા અને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.
જો કે તબિયતમાં સુધારા બાદ નાણાં મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહેલા નાણા પ્રધાન અરૂણ જેટલી માટે બે દિવસ પહેલા જ જાણકારી સામે આવી હતી કે તેઓ ફરી ઇલાજ માટે અમેરિકા ગયા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સંબંધમાં પોતાના ટ્વિટર માધ્યમથી જણાવ્યું કે આ સાંભળી હું દુઃખી થયો છું કે જેટલીજી અસ્વસ્થ છે. અમે તેમના વિચારોને લઇને દરરોજ લડીએ છીએ.
પરંતુ હું તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રાર્થના કરીએ છીએ કે તેમનું સ્વાસ્થ્ય ઝડપથી સારુ થાય. રાહુલ ગાંધીએ ટ્વિટરમાં લખ્યું કે જેટલી જી આ મુશ્કેલીભર્યા સમયમાં અમે તમારી તેમજ તમારા પરિવારા સાથે છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સિવાય વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે પણ અરૂણ જેટલીના સ્વાસ્થ્યને લઇને પ્રાર્થના કરી. ચિદમ્બરમે ટવિટર માધ્યમથી જણાવ્યું કે આ સાંભળી દુઃખ થયું કે અરૂણ જેટલી ઇલાજ માટે અમેરિકા ગયા છે. આશા કરું છુ કે તેઓ જલ્દી સ્વસ્થ થઇ પરત આવે.