કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી 'સંવિધાન બચાવો' અભિયાનની શરૂઆત કરી છે. જેનો હેતુ છે સંવિધાન અને દલિત પર થઇ રહેલા હુમલાને રાષ્ટ્રીય સ્તર પર ઉઠાવવો. આવતા વર્ષે યોજાનારા લોકસભા ચૂંટણી પહેલા દલિત સમુદાયને પોતાના તરફ લાવવાના પ્રયાસ હેઠક કોંગ્રસ આ અભિયાનને મહત્વપૂર્ણ માનાઈ રહ્યું છે.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆતમાં પીએમ મોદીનું પુસ્તક 'કર્મયોગી-નરેન્દ્ર મોદી'ના શબ્દોથી કરી. રાહુલે પ્રહાર કરતા કહ્યું કે જે ટોયલેટ સાફ કરે છે જે ગંદકી ઉઠવે છે. તેમની શું આધ્યાત્મિકતા નથી હોતી જે દલિત સમાજ કરે છે.
દલિત સમાજના વ્યક્તિઓ આ કામ પોતાનું પેટ ભરવા માટે નથી કરતા પરંતુ તે આ કામ એટલા માટે કરે છે કારણ કે તેઓ કામ આધ્યાત્મિકતા માટે કરે છે. તેમના માતા-પિતા સરળતાથી આ કામ છોડી શકે છે પરંતુ તેમણે નથી છોડ્યું.
રાહુલે કહ્યું કે અમારા પીએમના વિચારો છે કે દલિત સમાજના વ્યક્તિ પોતાના પેટ માટે નહીં પરંતુ આધ્યાત્મિક્તા માટે કરે છે. આ દરમિયાન હાજર કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદી મુર્દાબાદના નારા લગાવ્યા તો રાહુલ ગાંધીએ નારેબાજી કરવાની ના પાડી દીધી.
દલિતો સાથે થઇ રહ્યો છે અત્યાચાર
આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી બોલ્યા કે જે મોદીની વિચારધારા છે કે દેશના દરેક વ્યક્તિને સમજવી જોઇએ. રાહુલ ગાંધી બોલ્યા કે દલિતો વિરૂદ્ધ અત્યાચાર વધી રહ્યો છે. મોદીના દિલમાં દલિતો માટે કોઇ જગ્યા નથી.