શુક્રવારે રાતે જ્યારે જોરદાર ભૂકંપ આવ્યો ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દિલ્હીથી અમેરિકા સ્થિત શિકાગો યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા.
શરુઆતમાં આવી ખોટી માહિતી પછીથી સુધારવામાં આવી
ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે જબરદસ્ત હતો ભૂકંપ
અમરિંદર સિંહે કહ્યું કે બધુ સલામત છે
વિભાગે કહ્યું કે આ ભૂલ સોફ્ટવેરના કારણે થઈ છે
દિલ્હી- એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારોમાં શુક્રવારે રાતે ભૂકંપનો જોરદાર ઝટકો અનુભવાયો હતો. આ સમયે રાહુલ ગાંધી શિકાગો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે ઓનલાઈન સંવાદ કરી રહ્યા હતા. ભૂકંપ ઘણો શક્તિશાળી હતો અને તેનું કેન્દ્ર તાજિકિસ્તાનમાં હતું. ભૂકંપ વિજ્ઞાન વિભાગે પહેલા ભૂલથી જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પંજાબના અમૃતસરમાં 19 કિમીની ઉંડાઈ પર હતુ. જો કે બાદમાં સંશોધિત નિવેદન જારી કરી પુષ્ટિ કરી કે ભૂકંપ હકિકતમાં તાજિકિસ્તાનમાં આવ્યો છે. વિભાગે કહ્યું કે આ ભૂલ સોફ્ટવેરના કારણે થઈ છે.
હકિકતમાં રાહુલ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે તેમને આંચકો અનુભવાયો. તેમણે પોતાના વક્તવ્યની વચ્ચે કહ્યું કે લાગે છે કે ભૂકંપ આવ્યો છે. તે જૂમ મીટિંગ પર હતા. જ્યારે રાહુલે ભૂકંપ આવવાની વાત કહી તો સ્ક્રીન પર દેખાઈ રહેલા એક વ્યક્તિએ હળવી સ્માઈલ આપી હતી.
My interaction with Prof Dipesh Chakrabarty & students of The University of Chicago, Institute of Politics. https://t.co/5OgHVuQEhB
નૈશનલ કોન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી, 2005માં આવેલા ભૂકંપ બાદ શ્રીનગરમાં આવેલો ઝટકો એટલો શક્તિશાળી નહોંતો. જેણે મને ઘરની બહાર આવવા મજબૂર કર્યો હોય. મે કંબલ લીધો અને ભાગ્યો. મને પોતાની સાથે ફોન લઈ જવાનું પણ યાદ નહોંતુ. જમીન હલી રહી હતી. ત્યારે ભૂકંપ ટ્વીટ ન કરી શક્યો.
અમરિંદર સિંહે કહ્યું કે બધુ સલામત છે
પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ટ્વીટ કરી કહ્યું, ભૂકંપ બાદ અમૃતસર અથવા પંજાબના અન્ય ભાગોમાં નુકસાનની હજું સુધી કોઈ સૂચના નથી. પંજાબ પોલીસ અને સ્થાનીય પ્રસાશનના મુખ્ય અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમામની સુરક્ષા માટે પ્રાર્થના કરુ છુ.
શરુઆતમાં આવી ખોટી માહિતી પછીથી સુધારવામાં આવી
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર(એનસીએસ)એ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી છે. ભૂકંપ રાતે 10.34 મિનિટ પર આવ્યો. એનસીએસના સંચાલન પ્રમુખ જેએલ ગૌતમે કહ્યું ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાન હતુ. શરુઆતની તપાસમાં જાણવા મળ્યું હતુ કે કેન્દ્ર અમૃતસર હતું. અમને એ તે જાણકારીની સંશોધિત કર્યુ છે. ત્યારે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યુ કે સંદેશ સિસ્ટમમાં ભૂલથી કરી હતી અને આને બરાબર કરી દીધું છે. એનસીએસએ કહ્યું કે ભૂકંપના 2 આંચકા આવ્યા. તાજિકિસ્તાનમાં રાત 10.31 પર અને અમૃતસરમાં રાતે 10.34 પર આંચકા આવ્યા. એ પછી ગૌતમે કહ્યું એક જ ઝટકો આવ્યો હતો.