કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું છે કે કુંડલી ની સરહદ પર ખેડૂતો ની દુર્દશા જોઇને કરનાલના સંત બાબા રામસિંહે આત્મહત્યા કરી છે. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદના અને શ્રદ્ધાંજલિ. રાહુલ ગાંધીએ બાબા રામસિંહને શ્રદ્ધાંજલિ આપીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ઘણા ખેડૂતો એ પોતાનો જીવ બલિદાન આપ્યો છે અને હવે તો મોદી સરકારે ક્રૂરતાની બધી હદ વટાવી દીધી છે.
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કર્યા પ્રહાર
સુખબિર સિંઘ બાદલે પણ મોદી સરકાર પર સાધ્યું નિશાન
અરવિંદ કેજરીવાલે સંત બાબા રામસિંહને આપી શ્રદ્ધાંજલિ
રાહુલ ગાંધી એ ટ્વિટ કર્યું હતું કે કુંડલી ની સરહદ પર ખેડૂતો ની દુર્દશા જોઇને કરનાલના સંત બાબા રામ સિંહ જીએ આત્મહત્યા કરી છે. દુ:ખની આ ઘડીમાં મારી સંવેદનાઓ અને શ્રદ્ધાંજલિ. કોંગ્રેસના સાંસદે વધુમાં લખ્યું છે કે ઘણા ખેડૂતો એ પોતાનો જીવ બલિદાન આપ્યો છે. મોદી સરકારે ક્રૂરતાની બધી હદ વટાવી દીધી છે. જિદ્દ છોડી દો અને તરત જ કૃષિ વિરોધી કાયદો પાછો ખેંચો.
करनाल के संत बाबा राम सिंह जी ने कुंडली बॉर्डर पर किसानों की दुर्दशा देखकर आत्महत्या कर ली। इस दुख की घड़ी में मेरी संवेदनाएँ और श्रद्धांजलि।
कई किसान अपने जीवन की आहुति दे चुके हैं। मोदी सरकार की क्रूरता हर हद पार कर चुकी है।
શિરોમણિ અકાલી દળના વડા સુખબીર સિંઘ બાદલે કહ્યું હતું કે, સંતો બાબા રામ સિંહથી ખેડૂતો ની પીડા ન જોઈ શકાઈ. તેમણે પોતાને ગોળી મારી હતી. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. સુખબીર બાદલે કહ્યું કે હું ભારત સરકારને વિનંતી કરું છું કે પરિસ્થિતિને વધુ ખરાબ ન થવા દે અને ત્રણેય કૃષિ કાયદાને રદ કરે.
Anguished to hear that Sant Baba Ram Singh ji Nanaksar Singhra wale shot himself at Singhu border in Kisan Dharna, looking at farmers' suffering. Sant ji's sacrifice won't be allowed to go in vain. I urge GOI not to let situation deteriorate any further & repeal the 3 agri laws. pic.twitter.com/2ct4prkcoJ
તે જ સમયે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે સંત બાબા રામ સિંહ જીની આત્મહત્યાના સમાચાર ખૂબ જ પીડાદાયક છે. આ શોકની ઘડીમાં તેના પરિવારને સંવેદના. મુખ્યમંત્રીએ કહ્યું કે અમારા ખેડૂત પોતાનો હક માગી રહ્યા છે, સરકારે ખેડૂતો નો અવાજ સાંભળવો જોઇએ અને ત્રણેય કાળા કાયદા પાછા લેવા જોઈએ.
संत बाबा राम सिंह जी की आत्महत्या की ख़बर बेहद पीड़ादाई है। इस दुख की घड़ी में उनके परिवार के प्रति संवेदनाएं।
हमारा किसान अपना हक़ ही तो मांग रहा है, सरकार को किसानों की आवाज़ सुननी चाहिए और तीनो काले कानून वापस लेने चाहिए। pic.twitter.com/TWFpi47vCW
મહત્વનું છે કે સિંઘુ બોર્ડર પર ખેડૂતો ની હડતાલમાં સામેલ સંત બાબા રામ સિંહ એ બુધવારે પોતાને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. તેઓ કરનાલના રહેવાસી હતા. તેમની એક સ્યુસાઇડ નોટ સામે આવી છે જે મુજબ સંત બાબા રામસિંહે ખેડૂતો ને સરકારના અન્યાયથી દુ:ખી થઈને આત્મહત્યા કરી છે. આ સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેમણે ખેડૂતો ના દુ:ખજોયા છે. તેઓ તેમના હક લેવા રસ્તાઓ પર ઉતર્યા છે. તે ખૂબ જ દુ:ખદ છે. આ જુલમ છે અને તેને સહન કરવું તે પાપ છે.
Even as GOI remains stubborn & refuses to be moved by suffering of #farmers, Baba Ram Singh ji Singhra wale has committed suicide after being unable to see the suffering around him at Kundli border. Hope GOI wakes up to the tragedy & repeals the 3 agri laws before it's too late. pic.twitter.com/z0Ruv8VCYa
સંત બાબા રામ સિંહ હરિયાણાના કરનાલના વતની હતા અને એવું મનાઈ રહ્યું છે કે હરિયાણા અને પંજાબ ઉપરાંત વિશ્વભરમાં તેમના લાખો અનુયાયીઓ છે. તેમણે અનેક શીખ સંગઠનોમાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ ખેડૂત હોવા ઉપરાંત ધાર્મિક ઉપદેશક હતા. છેલ્લા અમુક દિવસોથી તે દિલ્હીમાં હતા અને ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા હતા. તેઓએ શિબિર પણ ગોઠવી હતી અને ધાબળા વિતરણ કર્યાં હતાં. સંત બાબા રામ સિંહ સિંગરાના બાબાજીના નામથી પ્રખ્યાત હતા.