રાહુલ ગાંધીએ વધુ એક વીડિયો જાહેર કર્યો છે. ચીન સાથેના સંઘર્ષને લઇ વીડિયોમાં સવાલ કર્યા છે. તેમણે કહ્યું છે કે ચીની ઘૂષણખોરીની લઈને સરકાર પર નિશાન સાધતા અનેક સવાલ કર્યા છે. તેમણે કહ્યું છે કે જે લોકો ઘૂષણખોરીને નકારી કાઢે છે તેને દેશભક્ત કેવી રીતે માનવા. રાહુલ કોરોના, અર્થવ્યવસ્થા, મજૂરો તથા ચીન સાથેને સંઘર્ષને લઈને વારંવાર સરકાર પર નિશાન સાધતા રહ્યા છે.
રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનની ઘૂષણખોરીને પગલે સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું છે કે, ચીનની ઘુષણખોરી મુદ્દે ખોટું બોલનાર દેશભક્ત નહીં. ઘુષણખોરીને નકારનાર દેશભક્ત ન હોઇ શકે. મે સેટેલાઇટ ઇમેજ જોઈ છે, પૂર્વ સૈનિકો સાથે વાત કરી છે. લોકો ઇચ્છે કે હું ખોટું બોલું તો હું એ નહીં કરી શકુ. હું આ મુદ્દા પર સત્ય બોલીશ. સત્ય બોલતા ભલે મારુ રાજકીય ભવિષ્ય જોખમમાં આવે.’
The Chinese have occupied Indian land.
Hiding the truth and allowing them to take it is anti-national.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ પહેલા ટ્વિટ કરી કહ્યું હતું કે મે કોરોના અને અર્થવ્યવસ્થાને લઇને ચેતાવણી આપી હતી, પરંતુ સરકારે માન્યું નહીં, મહામારી આવી. હવે ચીનને લઇ ચેતાવણી આપી રહ્યો છું, મારી વાતની ફરી અવગણના કરવામાં આવી રહી છે. ત્રીજો વીડિયો જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 100 ટકા ધ્યાન પોતાની છબી બનાવા પર કેન્દ્રિત છે. આ સાથે જ કહ્યું કે એક માણસની છબી એક રાષ્ટ્રના વલણનો વિકલ્પ નથી.
ભારતને કોઇપણ પ્રકારે ચીનને જવાબ આપવો જોઇએ, જેના પર વજન આપતા રાહુલ ગાંધીએ કહ્યું જો તમે તેની સાથે શક્તિશાળી બનીને લડો છો, તો તેની સાથે કામ કરી શકો છો. તમને એ મળી શકે છે જેની તમને જરૂરિયાત છે અને તે હકીકતમાં કરી શકાય તેમ છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો તેની સમજ કમજોર પડી ગઇ છે તો તમારી પાસે એ હતું અને પહેલી વાત એ છે કે તમે ચીન સામે કોઇપણ દ્રષ્ટિકોણ વગર લડી શકો તેમ નથી. આ માત્ર રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ નહી, પરંતુ આંતરરાષ્ટ્રિય દ્રષ્ટિકોણની પણ વાત છે.