મહારાષ્ટ્રની ચૂંટણી બાદ ફરી એકવાર સાવરકરનો મુદ્દો સર્જાયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સાવરકરના નિવેદનને લઈને શિવસેનાએ હલ્લાબોલ સર્જ્યો છે. આ સિવાય બીજેપીના અનેક નેતા અને બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષે પણ ટ્વિટ કરી હતી. સાવરકરના દીકરા રણજીત સાવરકરે ગાંધી પરિવાર પર વાર કર્યો છે.
સરકારે રાહુલ ગાંધી સામે ગુનો દાખલ કરવો જોઈએઃ રણજીત સાવરકર
દેવેન્દ્ર ફડણવીસે આપી આ પ્રતિક્રિયા
રાહુલના નિવેદનને લઈને દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રહાર કર્યા છે. ફડણવીસે પ્રતિક્રિયા આપી છે કે, રાહુલના નિવેદન પર શિવસેના કેમ ચૂપ છે. માત્ર નામ લગાવવાથી કાંઈ ગાંધી બની જવાતુ નથી. શનિવારે રાહુલ ગાંધીએ સભામાં માફી માગવા અંગે નિવેદન આપ્યું હતુ કે, મારુ નામ રાહુલ સાવરકર નથી, રાહુલ ગાંધી છે.
રાહુલ ગાંધીના નિવેદનને લઈને શિવસેનાના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથી શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે રાહુલના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. તેઓએ કહેયું છે કે રાહુલ ગાંધીએ સાવરકરને વાંચવાની જરૂર છે.
માયાવતીનું નિવેદન
બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેઓએ ટ્વિટ કરીને કહ્યું છે કે શિવસેના પોતાના મૂળ એજન્ડા પર કાયમ છે. આ માટે તેઓએ નાગરિકતા સંશોધન બિલને લઈને કેન્દ્ર સરકારનો સાથ આપ્યો છે અને હવે સાવરકરને લઈને પણ તેને કોંગ્રેસની ચાલ સ્વીકારશે નહીં. તેમ છતાં પણ કોંગ્રેસ પાર્ટી મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે હજુ પણ કાયમ છે. તો આ બધું કોંગ્રેસની ડબલ ગેમ નહીં તો શું છે.
2. किन्तु फिर भी कांग्रेस पार्टी महाराष्ट्र सरकार में शिवसेना के साथ अभी भी बनी हुई है तो यह सब कांग्रेस का दोहरा चरित्र नहीं है तो और क्या है?
સાવરકરના દીકરા રણજીત સાવરકરે ગાંધી પરિવાર પર કર્યો વાર
રાહુલ ગાંધીના સાવરકર અંગેના નિવેદનથી વિવાદ શરૂ થયો છે. વીર સાવરકરના પુત્ર રણજીત સાવરકરે રાહુલ પર વાર કરતાં કહ્યું છે કે રાહુલ ગાંધીની પ્રતિક્રિયા દુર્ભાગ્યપૂર્ણ છે.
આ ગાંધી પરિવારની પહેલાથી આદત રહી છે. અગાઉ નેહરુએ શિવાજી પર વિવાદીત ટિપ્પણી કરી હતી. સંગ્રામ થતા નેહરુએ રાયગઢમાં માફી માગી હતી. રાહુલ ગાંધી પોતાના પરદાદાની ભૂલ ફરીથી કરી રહ્યા છે. સાવરકરજી 14 વર્ષ જેલમાં અને 13 વર્ષ નજરકેદ રહ્યા. સાવરકરે પાંચ વર્ષ રાજકરણમાં ભાગ ન લેવાની શરત મુકી હતી. વીર સાવરકરે ક્યારે પણ માફી માગી ન હતી. રાષ્ટ્ર પુરૂષ વિશે ક્યારે પણ ખોટી વાત ન કરવી જોઈએ. હું માનું છું કે સરકારે રાહુલ ગાંધી સામે ગુનો દાખલ કરવો જોઈએ.
ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર
રાહુલ ગાંધીના સાવરકરના નિવેદનને લઈને વિવાદ સર્જાયો છે. ત્યારે હવે આ મામલે ભાજપના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે. સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપી છે કે, રાહુલ ગાંધીનું નવુ નામ રાહુલ શરમ કરે તેવુ હોવુ જોઈએ. તો બીજી તરફ રાજીવ સાતવે જણાવ્યુ કે, કોંગ્રેસ પાર્ટી ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના વિચારો પર ચાલવા વાળી પાર્ટી છે. અને કોંગ્રેસ દ્વારા માફી માગવામાં નહી આવે.