કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે લોકડાઉનને કારણે ગુજરાતમાં ફસાયેલા આંધ્રપ્રદેશના સેંકડો માછીમારોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને આ લોકોની મદદ કરવા વિનંતી કરી હતી. તેમણે એક મીડિયા રિપોર્ટને ટાંકીને ટ્વીટ કર્યું છે કે આ માછીમારો પાસે પૂરતો ખોરાક અને પાણી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું, 'છેલ્લા એક મહિનાથી આંધ્રપ્રદેશના છ હજાર માછીમારો ગુજરાતમાં ફસાયેલા છે. તેઓને તેમની બોટ પર રાખવામાં આવ્યા છે જ્યાં યોગ્ય સફાઇ નથી અને તેમના માટે ખોરાક અને પાણી મર્યાદિત છે. રાહુલ ગાંધીએ કહ્યું, "હું સરકારને અપીલ કરું છું કે અમારા માછીમાર ભાઈઓને રાહત કેમ્પમાં મોકલવામાં આવે અને તેમની સંભાળ સુનિશ્ચિત કરવામાં આવે."
લોકડાઉન થયા બાદ આ માછીમારો બોટ પર ફસાયા છે. બધા આંધ્રપ્રદેશના વિજયનગરમ અને શ્રીકુલા જિલ્લામાં આવેલા અલગ-અલગ ગામોના છે. તેમની બોટમાં ફસાયેલા માછીમારોએ વીડિયો એમ કહીને પ્રકાશિત કર્યો કે તેમની પાસે ખાદ્ય ચીજોની પૂરતી ચીજ વસ્તુઓ નથી અને તેમને પગાર પણ ચુકવવામાં આવી રહ્યો નથી.
Over 6,000 fishermen from AP, stranded in Gujarat, have been confined to their tiny fishing trawlers for over a month, in unhygienic conditions with limited food & water. I appeal to the Govt to move my brothers to relief camps and ensure their well being.https://t.co/cQ2sBcAR5i
અંદાજે 6,000 માછીમારોને ખરાબ સ્વચ્છતા વ્યવસ્થામાં જીવન પસાર કરવુ પડી રહ્યું છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે સરકારે તેમને હજી સુધી રાજ્ય સંચાલિત આશ્રય ઘરોમાં સ્થાનાંતરિત કર્યા નથી. અહીં આપણી પાસે પાયાની સુવિધા પણ નથી. હજી સુધી અમારા બે સાથીઓનું મોત નીપજ્યું છે.
વીડિયો પર પ્રતિક્રિયા આપતા આંધ્રપ્રદેશ સરકારનું કહેવું છે કે તે આ મામલાની તપાસ કરી રહી છે અને માછીમારોને મદદ કરશે. બુધવારે સરકારે તમામ છ હજાર માછીમારોને બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. મુખ્ય પ્રધાન કચેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વાય.એસ. જગમોહન રેડ્ડીએ તેમના ગુજરાતના સમકક્ષ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરી હતી અને તેમને ફસાયેલા માછીમારોને ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડવા તાકીદ કરી હતી. જ્યારે ગુજરાત સરકારવપમ કહલપમ છે કે તે માછીમારોની સારી રીતે સંભાળ લઈ રહી છે અને તેઓ રાજ્યમાં માછીમારી પ્રવૃત્તિ ચાલુ રાખી શકે છે.