ફેસબુક અને ભાજપ સાથે સાંઠગાંઠ અને હેટસ્પીચ મુદ્દે રાહુલ ગાંધી સતત સરકાર પર હુમલા કરી રહ્યા છે ત્યારે આજે રાહુલ ગાંધીએ ટાઈમ મેગેઝીનના અહેવાલ આધારે મોદી સરકાર પર હુમલો કર્યો છે.
ફેસબુક અને વોટ્સએપ મુદ્દે ફરી રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
ટાઈમ મેગેઝીનના અહેવાલના આધારે રાહુલ ગાંધીએ કર્યો હુમલો
વોટ્સએપ પર ભાજપનો હોલ્ડ છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટાઈમ મેગેઝીનના એક અહેવાલના આધારે દાવો કર્યો કે ભારતમાં 40 કરોડ નાગરીકો વોટ્સએપનો ઉપયોગ કરે છે અને વોટ્સએપની ઈચ્છા છે કે તે આ પ્લેટફોર્મનો ઉપયોગ નાણાની લેવડદેવડ માટે કરે જેના માટે મોદી સરકારથી અનુમતિ લેવી જરૂરી છે. આ રીતે ભાજપ વોટ્સએપ પર હોલ્ડ રાખે છે.
America's Time magazine exposes WhatsApp-BJP nexus:
Used by 40 Cr Indians, WhatsApp also wants to be used for making payments for which Modi Govt's approval is needed.
રાહુલ ગાંધીએ અહેવાલના આધારે આ આરોપ લગાવી રહ્યા છે તે અહેવાલમાં કહેવામાં આવ્યું છે લે ભારત ફેસબુકનું સૌથી મોટું માર્કેટ છે અને 32.8 કરોડ લોકો ક્તેનો ઉપયોગ કરે છે જ્યારે વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા તેના કરતા પણ વધારે 40 કરોડની આસપાસ છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ બંને પ્લેટફોર્મનો ઉપયોગ કેટલીય વાર હેટ સ્પીચ ફેલાવવા માટે કરવામાં આવે છે.
આ અહેવાલ ભારતમાં ફેસબુક અને વોટ્સએપના બિઝનેસ અને હેટસ્પીચના ઉપર કરવામાં આવ્યો છે અને તેનું શીર્ષક છે કે 'ભારતમાં સત્તાધારી પાર્ટીના ફેસબુક સાથે સંબંધ હેટ સ્પીચથી લડાઈમાં વિઘ્ન ઉભું કરે છે'.રાહુલ ગાંધીએ આ જ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે.
નોંધનીય છે કે આ છેલ્લા ઘણા દિવસથી રાહુલ ગાંધી ફેસબુકને લઈને આક્રમક છે. તેમણે કહ્યું હતું કે અમે ક્યારેય ફેક ન્યૂઝ, હેટ સ્પીચ અને પક્ષપાતથી લોકતંત્રને નુકસાન પહોંચવા દઈશું નહી. ત્યારે રાહુલ ગાંધીએ વોલ સ્ટ્રીટના અહેવાલના ખભે બંદુક રાખીને ફોડી હતી અને હવે ટાઈમના અહેવાલ પર વોટ્સએપ પર નિવેદન આપી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ફેસબુકે ભાજપ નેતાઓના ભડકાઉ ભાષણ પર એટલે કોઈ કાર્યવાહી ન કરી કારણ કે તેને પોતાનો બિઝનેસ પ્રભાવિત થવાનો ભય હતો.
આ વિવાદ પર કોંગ્રેસે ખૂબ હુમલાઓ કર્યા અને ફેસબુકના માલિકને પત્ર પણ લખ્યો હતો. રાહુલ ગાંધીએ ફેસબુક વિવાદમાં ટ્વિટ કર્યું હતું કે ભાજપ અને આરએસએસનો ફેસબુક અને વોટ્સએપ પર કબજો છે. અને આ માધ્યમથી ફેક ન્યૂઝ ફેલાવવાનું કામ કરવામાં આવે છે અને તેનાથી મતદાતાઓને પ્રભાવિત કરવામાં આવે છે.