કેન્દ્ર સરકારે થોપેલા નવા 3 કૃષિ કાયદાના વિરોધમાં જગતનો તાત આજે હાડ કકડાવતી ઠંડીમાં પોતાનો હક માંગવા દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યો છે. અનેક લોકોએ તેમનું સમર્થન કર્યું છે. ત્યારે વિરોધ પક્ષ સતત આ અંગે સરકાર પર પ્રહાર કરી રહી છે. રાહુલ ગાંધીએ આ શ્રેણીમાં વધુ એક ટ્વીટ કરી છે. જેમાં એક વીડ્યો શેર કર્યો છે જેમાં પીએમ મોદીએ આપેલું ભાષણ છે અને સવાલ પૂછ્યો છે કે શું ખેડૂતોની આવક બેગણી થઈ?
ખેડૂતોની આવક બમણી થશે, જો કે આવક મિત્રોની ચાર ગણી થઇ’
પીએમનું ભાષણ અને ખેડૂતો પરના અત્યાચારના વિઝ્યૂઅલ
અંહકારી ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોને અધિકાર આપો
ખેડૂતોની આવક બમણી થશે, જો કે આવક મિત્રોની ચાર ગણી થઇ’
રાહુલ ગાંધીએ વધુ એક ટ્વીટ કરતા સરકાર પર નિશાને સાધ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જુઠની, લૂંટની, સૂટ-બૂટની સરકારે કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થશે, જો કે આવક મિત્રોની ચાર ગણી થઇ’
પીએમનું ભાષણ અને ખેડૂતો પરના અત્યાચારના વિઝ્યૂઅલ
રાહુલ ગાંધીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે તેમાં પોલીસ દ્વારા પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર થઈ રહેલું દમન જોવા મળી રહ્યું છે. ખેડૂતો પર લાઠી ચાર્જ, ટીયર ગેસનો મારો તેમજ પાણીનો મારો થઈ રહેલા વિઝ્યૂઅલ ચાલી રહેલા છે અને બેગ્રાઉન્ડ વીઓમાં પીએમ મોદીએ આપેલું ભાષણ ચાલી રહ્યું છે. જેમાં મોદી કહી રહ્યા છે કે, ‘અમે અન્નદાતાને ઉર્જા દાતા બનાવવા માંગીએ છીએ. અમારી સરકારે શોર્ટકર્ટની જગ્યાએ લાંબો રસ્તો પસંદ કર્યો છે. ખેડૂતોની મૂળ સમસ્યા ઉકેલવા પગલા ભરાઈ રહ્યા છે અને આ પ્રક્રિયા સતત ચાલુ છે. ખેડૂતો પર દેવાનું ભારણ છે અને વ્યાજ પણ નિરંતર વધી રહ્યું છે. પણ હું એટલું જરુર કહીશ કે જેટલા મોટા પડકાર છે. તેટલા મોટા અને ઈમાન્દાર અમારા પ્રયાસ છે. પ્રયાસોમાં અમે કોઈ કસર નહીં છોડીએ અને આ આગળ પણ ચાલુ રહેશે. વર્ષ 2022 સુધી ખેડૂત પોતાની આવક 2 ગણી કરી શકે તેટલા સાધન મેળવી શકે એ માટે માટે અમે દિવસ રાત લાગ્યા છીએ.’
कहा- किसान की आय दुगनी होगी।
किया- ‘मित्रों’ की आय हुई चौगुनी और किसान की होगी आधी।
અંહકારી ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોને અધિકાર આપો
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, 'અન્નદાતા રોડ-મેદાનમાં ધરણા કરી રહ્યાં છે અને 'જુઠ' ટીવી પર ભાષણ! ખેડૂતની મહેનતનું આપણા બધા પર દેણું છે. આ લોન તેમને ન્યાય અને હક્ક આપીને જ ઉતરશે, ન કે તેને ધુત્કારીને, લાકડીઓ મારીને અને આંસૂ ગેસ ચલાવીને. જાગો, અંહકારી ખુરશીથી ઉતરીને વિચારો અને ખેડૂતોને અધિકાર આપો'
પહેલા કાળા કાયદો લાવ્યા પછી લાકડી ચલાવી
આ પહેલા પણ રાહુલ ગાંધીએ ખેડૂતોના પ્રદર્શનનું સમર્થન કરતા કહ્યું, જ્યારે આપણા અન્નદાતા ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે છે તો આ અવાજ પુરા દેશમાં સંભળાય છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં લખ્યું, 'મોદી સરકારે ખેડૂતો પર અત્યાચાર કર્યાં. પહેલા કાળા કાયદો લાવ્યા પછી લાકડી ચલાવી.