કોરોનાએ સમગ્ર વિશ્વની કમર તોડી નાંખી છે ત્યારે ભારત પણ તેમાંથી બાકાત રહેતુ નથી. કોરોનાની રસી શોધવા માટે આમ તો દુનિયાના મોટાભાગના દેશ લાગેલા છે પરંતુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે, કોરોનાની રસી માટે એક યોગ્ય રણનીતિ બનાવવી જોઇએ.
રાહુલ ગાંધીએ કરી ટ્વિટ
કોરોના રસીની તૈયારીઓ વિશે ટ્વિટ
PM નરેન્દ્ર મોદીએ બોલાવી હતી બેઠક
રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, ભારત કોરોના વેક્સિન બનાવનાર દેશોમાંથી એક હશે. માત્ર એક રણનીતિની જરૂર છે જેનાથી વેક્સિનની ઉપલબ્ધતા, કિંમત અને વેચાણ પર વ્યવસ્થિત કામ થાય. ભારત સરકારે તરત જ કામ શરૂ કરી દેવું જોઇએ.
India will be one of the COVID-19 vaccine-producing nations.
It needs a clearly-defined, inclusive & equitable vaccine access strategy ensuring availability, affordability & fair distribution.
તમને જણાવી દઇએ કે, આ સમયે ભારત બાયોટેક હેઠળ કુલ 12 સેન્ટર પર કોરોના વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે. કેટલીક જગ્યાએ પહેલો ફેઝ પૂર્ણ થઇ ચૂક્યો છે. ભારત પણ તે દેશોમાં સામેલ છે કે જે હ્યુમન ટ્રાયલ માટે આગળ વધી રહ્યો છે.
દેશમાં સીરમ ઇન્સ્ટીટ્યુટ તરફથી મોટી માત્રામાં વેક્સિન ડોઝ બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. થોડા સમય પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે જ્યાં સુધી વોક્સિન બનશે ત્યાં સુધી દસ કરોડ ડોઝ તૈયાર કરી દેવામાં આવશે. સાથે જ તેની કિંમત પણ સામાન્ય જ રાખવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠક કરી હતી જેમાં દેશમાં બની રહેલ કોરોના રસી વિશે વાત કરવામાં આવી હતી. 15 ઓગસ્ટે લાલ કિલ્લાથી વડાપ્રધાન કોરોના સંકટને લઇને વાત કરી શકે છે, જેમાં કોરોના વેક્સિનને લઇને પણ તેઓ જનતાને સંબોધી શકે છે.
રશિયાએ દાવો કર્યો છે કે તેમણે કોરોના વાયરસની વેક્સિન બનાવી લીધી છે પરંતુ તેમના દાવાઓમાં પણ કેટલાક પ્રકારની શંકા પેદા થાય છે.