રાહુલ ગાંધી દર બે દિવસે ટ્વિટ કરી કેન્દ્ર સરકાર પર પ્રહાર કરે છે. ક્યારેક બેરોજગારી તો ક્યારેક કોરોના મહામારી, ક્યારેક GDP તો ક્યારેક વેક્સિન મુદ્દે સરકારને સવાલ પૂછે છે.
આ ટ્વિટમાં સવાલ પણ પૂછ્યો અને જાતે જ જવાબ આપ્યો
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે "મોદી સિસ્ટમ" ફેઇલ
PMCares અને PM મોદી બંને જુઠ્ઠા છે
આ ટ્વિટમાં સવાલ પણ પૂછ્યો અને જાતે જ જવાબ આપ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા જેટલા પણ આરોપ લગાડવામાં આવે છે, તેમાંથી કોઈ પણ ટ્વિટનો કેન્દ્ર સરકાર દ્વારા વળતો જવાબ આપવામાં આવતો નથી. પણ આ વખતે સવાલ પણ રાહુલ ગાંધી દ્વારા પૂછવામાં આવ્યો છે તેનો જવાબ પણ રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યો છે. આ વખતે તેમણે લખ્યું કે "ભારત સરકારનું સૌથી ખુશાલ મંત્રાલય કયું છે? પછી બીજી લાઇનમાં લખ્યું કે ફાલતુ નારા લગાવતું ગુપ્ત મંત્રાલય"
આ પહેલા રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે "મોદી સિસ્ટમ" ફેઇલ
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતાં લખ્યું છે કે "મોદી સિસ્ટમ" માં જેટલી સરળતાથી સવાલ કરવાવાળાની ધરપકડ થાય છે, જો એટલી સરળતાથી વેક્સિન મળી જાય તો દેશની આ દર્દભરી સ્થિતિ ના થઈ હોત. કોરોનાને રોકો, લોકોના સવાલોને નહીં. જણાવી દઈએ કે કેટલાક દિવસ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રીની ટીકા કરતાં પોસ્ટર જેમણે લગાવ્યા, તે લોકોની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડના વિરોધમાં પણ રાહુલ ગાંધી સહિત ઘણા બધા કોંગ્રેસ નેતા અને કાર્યકરોએ પોતાનું ટ્વિટર પ્રોફાઇલ બદલીને તે પોસ્ટર મૂક્યું હતું. તે પોસ્ટરમાં લખ્યું હતું કે "મોદીજી તમે અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી?
PMCares અને PM મોદી બંને જુઠ્ઠા છે
દેશમાં ચાલી રહેલ કોરોનાની બીજી લહેરમાં કોંગ્રેસ અને અન્ય વિપક્ષ સતત કેન્દ્ર સરકાર અને PM મોદી પર પ્રહાર કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરી ફરી એકવાર PM મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે PMCares અને PM મોદી બંને જુઠ્ઠા છે અને બંને કામ કરવામાં ફેઇલ થયા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે PMCares ના વેન્ટિલેટર્સ અને PMમાં ઘણી સમાનતા છે. બંનેનો હદથી વધુ ખોટો પ્રચાર, બંને કામ નથી કરી રહ્યા અને બંનેને શોધવા મુશ્કેલ છે.