કોંગ્રેસ નેતા અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેરળ માટે રાહત પેકેજની માંગ કરી છે. એમણે પોતાના સત્તાવાર ટ્ટિટર એકાઉન્ટ પર પીએમઓ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલ ટ્વિટ પર જવાબ આપ્યો છે.
રાહુલ ગાંધીએ પીએમ મોદીનો ઉલ્લેખ કરતા લખ્યું, ''પ્રિય શ્રી મોદી, આપની ગુરુવયૂર યાત્રા બાદ એક ભીષણ પૂર પણ કેરળ પહોંચ્યૂ હતી. જે બાદ મોત થયા, વિનાશ થયો... એ સમયે યાત્રા કરતા, તો સારું રહેતું... કેરળ તકલીફમાં છે અને અત્યાર સુધી રાહત પેકેજની રાહ જોઇ રહ્યું છે. જેમ અન્ય પૂર પ્રભાવિત રાજ્યોને આપવામાં આવ્યું છે...આ ઠીક નથી...''
Dear Mr Modi,
After your visit to Guruvayur - a huge flood visited Kerala, causing death & destruction.
A timely visit then would have been appreciated.
Kerala is suffering & still awaits a relief package, like those given to other flood hit states. This is unfair. https://t.co/wk9mZ4wSQg
PMO ઇન્ડિયાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પીએમ મોદીનું નિવેદન આવ્યું હતું. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટવ કર્યું હતું, ''વ્યક્તિગત રૂપથી કેરળ પણ મારા માટે વિશેષ છે...મને કેરળની યાત્રાના ઘણા અવસર મળ્યા છે...જ્યારે લોકોએ મને મોટી જવાબદારી આપી એકવાર ફરી આર્શીવાર્દ આપ્યા. હું સૌથી પહેલા ગુરુવયૂર શ્રી કૃષ્ણ મંદિરમાં ગયો...'' આ ટ્વિટના જવાબમાં રાહુલ ગાંધીએ આ ટ્વિટ કર્યું.