રાહુલ ગાંધીએ ભારત અને ચીનની સરહદ વિવાદને લઈને ટીપ્પણી કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આપત્તીજનક ટીપ્પણી કરી છે. આ અંગેની પોસ્ટને કારણે રાહુલ ગાંધી ટ્રોલ થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીની PM મોદી પર આપત્તિજનક ટિપ્પણી
નરેન્દ્ર મોદી સાચી રીતે સરેન્ડર મોદી છેઃ રાહુલ ગાંધી
LAC વિવાદને લઇ રાહુલ ગાંધીએ કરી ટિપ્પણી
ભારત-ચીન સીમા વિવાદ પર રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર પ્રહાર કરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું. જેમાં તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાચી રીતે સરેન્ડર મોદી છે. LAC વિવાદને લઇ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી છે.
LAC પર સોમવારે ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તેવું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ત્યાર બાદ ભારતીય સેનાએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી. અગાઉ મંગળવારે બપોરે સત્તાવાર રીતે એક ઓફિસર અને 2 જવાનો શહીદ થયા હોવાની ખબર સામે આવી હતી ત્યારે હવે સત્તાવાર રીતે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આ હિંસક અથડામણમાં 20 જવાનો શહીદ થયા છે. સોમવાર રાત્રે બંને દેશો વચ્ચે સેનાઓની વચ્ચે હિંસક અથડામણ દરમ્યાન આ ઘટના બની હતી. આ ઘટના ત્યારે બની જ્યારે સોમવારે રાતે ગલવાન ઘાટી પાસે બંને દેશો વચ્ચે વાતચીત બાદ સ્થિતિ સામાન્ય થવા તરફ વધી રહી હતી.
ચીનના સૈનિકોના મોત પરંતુ ડ્રેગન સ્વીકારવા તૈયાર નહીં
પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામ્યા છે તેવા સૂત્રો દ્વારા સમાચાર મળ્યાં છે. આ વચ્ચે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. જો કે ચીની મીડિયામાં તેમના સૈનિકોના મોતને લઈને કોઈ ખબર છપાઈ ન હતી અને માત્ર અથડામણ થઈ હતી તેવું કવરેજ કરાયું હતું.