લદાખમાં હાલમાં ભારત અને ચીનની સેના સામ-સામે છે. ગલવાન ખીણની ઘટના બાદ બંને સેના વચ્ચેના વાતાવરણને શાંત કરવા બેઠકો ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી સતત મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે અને સત્ય કહેવાની અપીલ કરી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ફરી એકવાર સરકાર પર નિશાન સાધતા પૂછ્યું કે શું ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે?
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ફરી સરકાર પર સાધ્યું નિશાન
ચીન મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યો સવાલ
ચીને ભારતીય જમીન પર કબજો કર્યો છે? : રાહુલ
મંગળવારે રાહુલ ગાંધીનું ટ્વીટ કર્યું તે કંઈક વિશેષ છે. હકિકતમાં ચીનના મુદ્દે રાહુલે સરકારને પ્રશ્નો પૂછ્યા. તેમણે લખ્યું કે આપણે ચીની આક્રમણની વિરુદ્ધ એક થઈ ઉભા છીએ. શું ચીને ભારતીય ભૂમિ પર કબજો કર્યો છે? આ સાથે રાહુલ ગાંધીએ એક તસવીર શેર કરી છે. જે ગેલવાન વેલી, પેંગોંગ તળાવ જેવી લાગે છે.
આ ફોટો પર ક્રેડિટ રાજીવ ગાંધીને આપવામાં આવી છે. એટલે કે આ તસવીર પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ લીધી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી નેતા સિવાય તેઓ પાઇલટ હતા, પણ તેમને ફોટોગ્રાફીમાં ખૂબ રસ હતો.
ઉલ્લેખનીય છે કે ચીનનાં મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર ઉપર આક્રમક હુમલો કરવામાં આવી રહ્યો છે. સોમવારે જ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું નિવેદન બહાર આવ્યું છે. જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતુ. મનમોહનસિંહે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી નીતિના મામલે તેમના શબ્દો કાળજીપૂર્વક વાપરવા જોઈએ. કારણ કે તેઓ (ચીન) તેમના પ્રચારમાં તેનો ઉપયોગ કરી શકે છે.
મનમોહનસિંહના નિવેદન પછી. સમગ્ર કોંગ્રેસ પાર્ટી લગભગ એ જ લાઈન પર આવી હતી અને મનમોહનના નિવેદનની પુનરાવર્તન કરીને સરકારને ઘેરી લીધી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડા ઉપરાંત ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓએ મનમોહનસિંહને પ્રતિક્રિયા આપી હતી. બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે યુપીએના કાર્યકાળ દરમિયાન જ્યારે ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી. ત્યારે સરકાર શાંત હતી.