કથળી ગયેલી અર્થવ્યવસ્થા અને બજારોમાં મંદીથી હવે ચારેય તરફ ચિંતા દર્શાવાઇ રહી છે. આ ગંભીર મુદ્દા પર વિપક્ષે પણ મોદી સરકારનો ઘેરાવ કર્યો છે. ત્યારે બુધવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું.
કથળતી અર્થવ્યવસ્થા પર રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકારને ઘેરી
આ પહેલા પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે પણ સરકાર પર સાધ્યું હતું નિશાન
ઉદ્યોગ જગત સાથે જોડાયેલા લોકોમાં મંદીના માહોલને લઇને ચિંતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી લખ્યું, 'અર્થવ્યવસ્થાનો શું હાલ છે 'હાઉડી મોદી', અર્થવ્યવસ્થાની હાલત સારી નથી લાગી રહ્યી. રાહુલ ગાંધીએ એક વેબસાઇટની ન્યૂઝ ટ્વિટર પર શેયર કરતા મંદીથી ઘેરાઇ ગયેલી અર્થવ્યવસ્થા પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.
નોંધનીય છે કે, મહિન્દ્રા, ટાટા અને મારુતિ જેવી ઘણી ઓટોમોબાઇલ કંપનીઓમાં કામ કેટલાક દિવસો માટે બંધ કરવામાં આવી રહ્યા છે. જ્યારે બજારોમાં ભયંકર મંદી દેખાઇ રહી છે. ઉદ્યોગ જગત સાથે જોડાયેલા તમામ લોકો મંદીના માહોલને લઇને ચિંતિત છે. પરંતુ સરકાર છે કે મંદીની વાતને જ નકારી રહી છે.
ઉદ્યોગ જગતથી હવે હીરો સાઇકલના મેનેજિંગ ડાયરેક્ટર પંકજ મુંજાલે નિવેદન આપ્યું છે. એમણે પોતાની નવી ઇલેક્ટ્રિક સાઇકલના લોન્ચ પર કહ્યું, 'મેં મારા જીવનમાં ગ્રોથ રેટમાં ઘટાડો જોયો છે, પરંતુ આ રીતે ગ્રોથ રેટમાં ઘટાડો છેલ્લા 55 વર્ષમાં ક્યારેય નથી થયો.
અર્થવ્યવસ્થામાં મંદીના સવાલ પર પંકજ મુંજાલે કહ્યું, 'આ પૂછવાની વાત નથી પરંતુ આંકડા જ કહી રહ્યા છે અને એ આંકડાઓમાં ઘટાડો થઇ રહ્યો છે.' ઘણા અર્થશાસ્ત્રીઓ પણ માને છે કે લોકોના ખરીદી ક્ષમતા મંદીમાં ઘટી ગઇ છે.
આ પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે વર્તમાન અર્થવ્યવસ્થાને લઇને નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાઘ્યું હતું. એમણે કહ્યું હતું કે અર્થવ્યવસ્થા ખુબ જ ખરાબ થઇ રહી છે અને ખતરનાક વાત એ છે કે સરકારને આ વાતનો અહેસાસ સુદ્ધા નથી.
પૂર્વ પીએમે કહ્યું હતું કે અમે આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છીએ. વિકાસ દર ઘટીને 5 ટકા રહી ગયો છે. આ આપણાને વર્ષ 2008ની યાદ અપાવે છે જ્યારે આપણી સરકારમાં અર્થવ્યવસ્થા એક દમથી નીચે આવી ગઇ હતી.