લોકસભા ચૂંટણીમાં અમેઠીની (Amethi) પોતાની પરંપરાગત સીટ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પ્રથમ વખત મુલાકાત લેવાના છે. અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી હવે 10 જુલાઈએ અમેઠીમાં પાર્ટી કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. આ દરમ્યાન તેઓ ચૂંટણીમાં મળેલી હારના કારણોની સમીક્ષા પણ કરશે. હકીકતમાં, અમેઠી લોકસભા ક્ષેત્ર કોંગ્રેસનો હંમેશાથી ગઢ રહ્યો છે અને અહીં મળેલી હાર ન માત્ર રાહુલ માટે પરંતુ સંપૂર્ણ પાર્ટી માટે મોટો ઝટકો છે.
લોકસભા ચૂંટણીમાં (Loksabha Elections) કોંગ્રેસની હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. કેરળની વાયનાડ સીટ પરથી સાંસદ રાહુલ ગાંધી હવે પોતાની પરંપરાગત સીટ અમેઠીને ગુમાવવાના કારણોની સમીક્ષા કરવા જવાના છે.
લોકસભા ચૂંટણીમાં અમેઠીની (Amethi) પોતાની પરંપરાગત સીટ ગુમાવ્યા બાદ રાહુલ ગાંધી (Rahul Gandhi) પ્રથમ વખત મુલાકાત લેવાના છે. અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી હવે 10 જુલાઈએ અમેઠીમાં પાર્ટી કાર્યકર્તાઓની સાથે બેઠક કરશે. આ દરમ્યાન તેઓ ચૂંટણીમાં મળેલી હારના કારણોની સમીક્ષા પણ કરશે. હકીકતમાં, અમેઠી લોકસભા ક્ષેત્ર કોંગ્રેસનો હંમેશાથી ગઢ રહ્યો છે અને અહીં મળેલી હાર ન માત્ર રાહુલ માટે પરંતુ સંપૂર્ણ પાર્ટી માટે મોટો ઝટકો છે.
સૂત્રો અનુસાર એક દિવસીય પ્રવાસમાં તેઓ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપરાંત લોકોથી પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે અમેઠી સીટથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની ચૂંટણી જીતી ગયા હતાં. રાહુલ ગાંધી અમેઠીથી હારી ગયા હતા પરંતુ કેરલની વાયનાડ સીટથી જીતીને લોકસભામાં પહોંચવામાં સફળ રહ્યાં છે. પરિણામ આવ્યા બાદ પણ સ્મૃતિ ઈરાની પર વાકબાણ ચલાવતા રહ્યાં છે. આવામાં રાહુલ જ્યારે અમેઠી પહોંચશે ત્યારે હાર પર શું કહેશે તેના પર સૌ કોઈની નજર રહેશે.
મહત્વનું છે કે ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલી મોટી હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીને મજબૂત કરવા માટે ઘણાં મોટાં નિર્ણયો લેવાં પડશે. તેમના રાજીનામાં બાદ ટીમ રાહુલના કેટલાંય યુવા નેતાઓએ પોતાના રાજીનામાં આપી દીધાં છે. કોંગ્રેસ પાર્ટીને હવે નવા અધ્યક્ષની પસંદગી કરવાની છે.
રાહુલ ગાંધીએ ઔપચારિક રીતે પોતાના રાજીનામાની જાહેરાત તો કરી દીધી હતી પરંતુ પાર્ટીએ ઔપચારિક રીતે હજુ પણ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકાર કર્યુ નથી. રસપ્રદ વાત તો એ છે કે 10 જુલાઈએ જ કોંગ્રેસની કાર્યસમિતિની પણ એક મીટિંગ થવાની છે જેમાં રાહુલ ગાંધીના રાજીનામાની સત્તાવાર રીતે સ્વીકાર થઈ શકે છે. રાહુલ ગાંધી પહેલેથી જ કહી ચૂક્યાં છે કે તેઓ નવા અધ્યક્ષની પસંદગી કરવાની પ્રક્રિયામાં શામેલ નહીં થાય.