મુંબઇઃ RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ નક્કી થઈ ગયા છે. ભિવંડી કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ આરોપ નક્કી કર્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું છે. સુનાવણી દરમિયાન રાહુલની સાથે કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા.
જો કે રાહુલ ગાંધીએ 6 માર્ચ 2014માં કથિત રીતે મહાત્મા ગાંધીની હત્યા માટે RSSના લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. જે મામલે સંઘના કાર્યકર્તા રાજેશ કુંટે દ્વારા 2014માં ભિવંડીમાં રાહુલ ગાંધીના ભાષણ સાંભળ્યા બાદ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે મામલે ભિવંડી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યા બાદ મુંબઇ પરત આવીને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે. 2019ની લોકસભા ચૂંટણીની તૈયારી માટે કોંગ્રેસ અંદાજિત 15 હજાર બૂથ સ્તરના કાર્યકર્તાઓના એક કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં બોમ્બે પ્રદર્શની કેન્દ્ર ગોરગાંવમાં છે. આ સિવાય પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરશે.
રાહુલ ગાંધીના મુંબઇમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે સાંજ 4 વાગ્યે મુલાકાત કરવાનો કાર્યક્રમ પણ છે.