કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરના પર જણાવેલુ અનુમાન ફેલ થવા પર નીતિ આયોગને આડે હાથ લીધા છે. રાહુલ ગાંધીએ આયોગનો એ ગ્રાફ ટ્વિટ કર્યો જેમાં અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે દેશમાં ક્યાંય પણ 16 મે થી કોરોનાનો એક પણ નવો દર્દી સામે આવશે નહીં.
રાહુલ ગાંધીએ નીતિ આયોગને એમનું અનુમાન ફેલ થવા પર નિશાન સાધ્યુ છે
આયોગે ગ્રાફ દ્વારા 16 મે થી નવો કોરોના કેસ નહીં આવવાનો દાવો કર્યો હતો: રાહુલ
રાહુલનો પ્રશ્ન છે કે લૉકડાઉનને એટલુ પ્રભાવકારી જણાવ્યું હતુ તો હવે શુ થયુ
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ નીતિ આયોગને એના પહેલાના દાવાને લઇને નિશાન સાધ્યુ છે. એમને દેશવાસીઓને નીતિ આયોગનું આ દાવો યાદ અપાવ્યો છે કે લૉકડાઉનના કારણે 16 મે થી કોરોનાના નવા કેસ આવવાના બંધ થઇ જશે. રાહુલે ટ્વિટ કર્યું, 'નીતિ આયોગના બુદ્ધિમાન લોકોએ ફરીથી કરી દેખાડ્યું. હું તમને એમનો એ ગ્રાફ યાદ કરાવું છું જેમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે સરકારની રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની રણનીતિના કારણે 16 મે થી કોરોનાનો કોઇ નવો કેસ આવશે નહીં.'
The geniuses at Niti Aayog have done it again.
I’d like to remind you of their graph predicting the Govt's national lockdown strategy would ensure no fresh Covid cases from tomorrow, May the 16th. pic.twitter.com/zFDJtI9IXP
રાહુલે જે ગ્રાફ ટ્વિટ કર્યો છે, એની પર 23 એપ્રિલે રજૂ કરવામાં આવ્યો હતો. ગ્રાફમાં જણાવવામાં આવ્યું કે કોવિડ-19 દર્દીઓની સંખ્યા 30 એપ્રિલ સુધી વધતી રહેશે, ફરી 1 મે થી 2-3 મે સુધી નવા દર્દીઓની સંખ્યામાં સ્થિરતા આવશે અને 4 મે થી એમાં ઘટાડો જોવા મળશે. ગ્રાફમાં અનુમાન લગાવાયુ છે કે 4 મે થી ઘટતા-ઘટતાં 16 મે સુધી આવી સ્થિતિ આવશે કે દેશમાં એક પણ નવા કોરોનાના દર્દીઓ સામે આવશે નહીં.
વાસ્તવમાં નીતિ આયોગના સભ્યો અને કોરોના પર બનેલી એક એન્પૉવર્ડ કમિટીના પ્રમુખ વીકે પૉલે 24 એપ્રિલ એક સ્ટડી શરે કરી છે. એ પ્રમાણે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે લૉકડાઉનના કારણે કોરોના વાયરસનો એકથી બીજા વ્યક્તિમાં સંક્રમણની ગતિમાં ઘટાડો થયો છે. આ કારણ કોવિડ-19 દર્દીઓની સંખ્યા બમણી થવાની ઝડપ ઘટી ગઇ છે અને હવે 10 દિવસમાં દર્દીઓની સંખ્યા બમણી થઇ રહી છે.