હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી નૂંહ વિધાનસભા ક્ષેત્રે પહોંચ્યા. રાહુલ ગાંધીએ પોતાની સભામાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને પીએમ નરેન્દ્ર મોદી પર મોટો કટાક્ષ કર્યો. એમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અંબાણી-અદાણીના લાઉડસ્પીકર છે અને દિવસભર તેમની વાત કરે છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધીનું નૂંહમાં સંબોધન
રાહુલ ગાંધીનો મનોહર લાલ ખટ્ટર અને પીએમ નરેન્દ્ર મોદી પર મોટો કટાક્ષ
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં જે બેરોજગારી છે અને જે અર્થવ્યવસ્થાની હાલત છે, તેનુ 6 મહીના બાદ શું થાય છે તે જોજો. યુવાઓને વધારે સમય સુધી મુર્ખ બનાવીને સરકાર નથી ચલાવી શકાતી. તમે 6 મહીના એક વર્ષ સરકાર ચલાવી શકો છો, પરંતુ એક દિવસ સત્ય બહાર આવશે. પછી જુઓ શું થાય છે દેશમાં અને નરેન્દ્ર મોદીનું શું થાય છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશમાં અલગ-અલગ જાતિ અને ધર્મના લોકો રહે છે. અહીં અમીર લોકો ગરીબ લોકો તમામ એક સાથે રહે છે. અને આ તમામ લોકોને આપણે હિન્દુસ્તાન કહીએ છીએ. કોંગ્રેસ તમામની પાર્ટી છે. અને અમારું કામ લોકોને જોડવાનું છે. બીજેપી અને આરએસએસનું કામ જે પહેલા અંગ્રેજ કરતા હતા, દેશને તોડવાનું કામ અને દેશમાં એકબીજાને લડાવવાનું કામ.
શું નોટબંધીની લાઇનમાં અદાણી-અંબાણીને જોયા
નોટબંધી અને જીએસટી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા નોટબંધીએ દેશમાં તમામને લાઇનમાં લગાવી દીધા. આ લાઇનમાં અનિલ અંબાણી અને અદાણીને શું આપે જોયા હતા. એ દરિયાન કાળા નાણા વાળી એકપણ વ્યક્તિ લાઇનમાં નહોતી. ત્યારબાદ ગબ્બર સિંહ ટેક્સ આવ્યો. અહીં કોઇ છે કે જે મને કહી શકે કે જીએસટીથી મને ફાયદો પહોંચ્યો. નાના દુકાનદાર, મીડલ સાઇઝ બિઝનેસ બધુ જ ખતમ થઇ ગયું. કેમકે તેમનો બિઝનેસ મોદી પોતાના 15-20 મિત્રોને આપવા ઇચ્છે છે. જો તમે દેશભક્ત છો તો બતાવો કે હિન્દુસ્તાનની પબ્લિક સેક્ટરની કંપનીઓ છે તેને આપ આપના અરબપતિ મિત્રોને કેમ વેચવા માંગો છો. એક જ લક્ષ્ય છે કે નરેન્દ્ર મોદીજી અને ખટ્ટરજી આ 15 લોકો માટે કામ કરે છે.
મીડિયા પર સાધ્યું નિશાન
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે,'આ લોકો ઇચ્છે છે કે આપનું ધ્યાન સાચા મુદ્દાથી હટીને અલગ-અલગ મુદ્દા પર રહે. માત્ર આપ હકીકત પર સવાલ ન પૂછો. એમના મીડિયાના મિત્ર છે જેમણે ઠેકો લીધો છે. તમે ટીવી પર ક્યારેય જોયું કે ભારતમાં બેરોજગારી છે. કેમકે આ લોકો અને તેમના માલિક નથી ઇચ્છતા કે આપને જાણકારી મળે કે નરેન્દ્ર મોદીજીએ આપના પૈસા લૂટ્યા છે.'
મીડિયા પર હુમલાવર રાહુલ ગાંધીએ કહ્યું કે, રાફેલ મામલામાં એર ફોર્સના લોકોએ સ્પષ્ટ કહ્યું કે નરેન્દ્ર મોદીએ કોન્ટ્રાક્ટ બદલ્યો. એર ફોર્સના ડોક્યૂમેન્ટ હતા. પરંતુ આ મીડિયામાં ન આવ્યું કેમકે સત્ય આપને નથી બતાવવાનું. આપને માત્ર જુઠ્ઠાણું બતાવવાનું છે, ક્યારેક ચંદ્ર વિશે તો ક્યારેક રાફેલ સામે પૂજા થશે અને કોર્બેટમાં મૂવી બનશે. પરંતુ નરેન્દ્ર મોદી એમ નહીં કહેશે કે 2 કરોડ લોકોને રોજગાર આપવાનું વચન તોડ્યું. નૂંહની આ રેલીમાં રાહુલ ગાંધીએ લોકો સાથે ખેડૂતોના દેવામાફી અને અર્થવ્યવસ્થાની હાલત પર ચર્ચા કરી અને હરિયાણામાં પોતાની સરકાર બનવા માટે કોંગ્રેસને વોટ આપવાની અપીલ કરી.