રાહુલ ગાંધી અનેક મુદ્દાઓ પર સરકાર પર નિશાનો સાધતા રહ્યા છે. તેઓએ જીએસટી, અર્થવ્યવસ્થા, મજૂરો, કોરોના તેમજ લદ્દાખમાં ચીન વિવાદ મુદ્દે પણ અનેક વાર સરકાર પર નિશાન સાધ્યા છે. ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે.
2015માં મોદી સરકારે કોર્ટમાં કહ્યું,અમારાથી નહીં થાય: રાહુલ
2020માં ખેડૂતોને મૂળથી કરીને સાફ, મૂડીવાદી મિત્રોનો ખુબ વિકાસ: રાહુલ
કૃષિ બિલ મુદ્દે ફરી રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે ટ્વીટ કરી દર વર્ષે સરકાર કેવી રીતે ખેડૂતો માટેના પોતાના વાયદામાંથી ફરી છે તે અંગે સ્પષ્ટતા કરી છે. સરકારે વર્ષ 2104માં શું કહ્યું, 2015માં શુ કહ્યું અને હાલ 2020 કેવા કાળા નિયમો ખેડૂતો માટે બનાવ્યા છે તે અંગે જણાવ્યું છે.
રાહુલે ટ્વીટમાં કહ્યું કે, 2014માં મોદીજીએ MSPને લઇ ચૂંટણી વાયદો કર્યો. સરકારે સ્વામિનાથન કમિશનવાળું MSPનો વાયદો કર્યો હતો. એ બાદ 2015માં મોદી સરકારે કોર્ટમાં કહ્યું,અમારાથી નહીં થાય. તેમજ રાહુલે કહ્યું કે 2020માં કાળો ખેડૂત કાયદો બનાવ્યો જેમાં મોદીજીની નિયત સાફ છે. કૃષિ વિરોધી નવો પ્રયાસ છે. ખેડૂતોને મૂળથી સાફ કરીને મૂડીવાદી મિત્રોનો ખુબ વિકાસ કરવાનો છે.