રૂપિયો નબળો થતાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને પીએમ મોદી પર આકરાં પ્રહારો કર્યો છે.
ભારતીય અર્થવ્યવસ્થા પર મોટા સવાલ
રૂપિયા સૌથી નિચલા સ્તર પર આવ્યો
રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર
રૂપિયો નબળો થતાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને પીએમ મોદી પર આકરાં પ્રહારો કર્યો છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીએ અર્થવ્યવસ્થાને સુધારવા માટે ભાર આપવો જોઈએ, નહીં કે હેડલાઈન મેનેઝમેંટ પર. તેમણે પીએમ મોદીના એક ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જ્યારે યુપીએ સરકારમાં રૂપિયો નબળો પડતો, તો પીએમ મોદી તેને લઈને મજાક ઉડાવતા હતા.
Modi ji, you used to criticise Manmohan ji when ₹ fell.
Now ₹ is at its lowest ever value. But I won't criticise you blindly.
A falling ₹ is good for exports provided we support exporters with capital and help create jobs.
Focus on managing our economy, not media headlines.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું હતું કે, મોદી જી, જ્યારે રૂપિયા નબળો પડતો ત્યારે મનમોહનજીની મજાક કરતા હતા, હવે રૂપિયા અત્યાર સુધીના સૌથી નીચલા સ્તર પર છે. તેમ છતાં પણ અમે આંખ બંધ કરીને આપને દોષ નથી આપતા.આપ ઈકોનોમી પર ફોકસ કરો. મીડિયા હેડલાઈન્સ પર નહીં. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, આજે અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત 77.41 થઈ ગઈ છે. 75 વર્ષમાં રૂપિયો ક્યારેય આટલો નબળો નથી થયો.
"ये ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूँ, मुझे मालूम है...इस प्रकार से इतनी तेजी से रुपया गिर नहीं सकता..."
फ़िर क्या कारण है कि आज रुपया, हिंदुस्तान के 75 साल के इतिहास में सबसे निचले स्तर पर पहुँच गया ?
— Randeep Singh Surjewala (@rssurjewala) May 9, 2022
સૂરજેવાલાએ ટ્વિટર પર લખ્યું હતું કે, મોદી સરકારમાં ભારતીય રૂપિયો આઈસીયૂમાં ચાલ્યો ગયો છે. હવે તે ભાજપમાં માર્ગદર્શક મંડળની ઉંમરને ક્રોસ કરી ગયો છે. આખરે તેની પાછળનું શું કારણ છે ? રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ ટ્વિટ કરીને કહ્યું કે, રૂપિયો સૌથી નીચલા સ્તર પર આવી ગયો છે. મોદી સીએમ હતા ત્યારે તો સરકાર પર ટાર્ગેટ કરતા હતા, દેશદ્રોહી ગણાવતા હતા પણ પીએમ મોદી ચૂપ છે.