દેશમાં કોરોના સંક્રમિતના આંકડાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં હવે કોરોના સંક્રમિતોની સંખ્યા 1,00,00,000 ઉપર પહોંચી ગઇ છે. કોરોનાના વધતા કેસને લઇને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ ટ્વિટર પર ટ્વિટ કરતાં કહ્યું કે પીએમ મોદી સરકારની નીતઓને લઇને સવાલ ઉઠાવ્યાં છે.
કોરોનાની લડાઇ મુદ્દે રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
સરકારે 21 દિવસનું બિનઆયોજીત લોકડાઉન કર્યુ
તંત્રની અવ્યવસ્થાથી લાખો લોકોએ જીવ ગુમાવ્યો
રાહુલ ગાંધીએ ટ્વિટ કરતા લખ્યું છે કે, એક કરોડ કોરોના સંક્રમિત અને લગભગ 1.5 લાખ મૃત્યું! પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 21 દિવસમાં કોરોનાની સામે જંગ જીતવાનો દાવો અનિયોજીત લોકડાઉનના લઇને આ સાચુ સાબિત ના થયું. હા જેના કારણે લાખો લોકોનો જીવ જરૂર ચાલ્યો ગયો.
1 Crore covid infections with almost 1.5 lakh deaths!
The unplanned lockdown did not manage to ‘win the battle in 21 days’ as the PM claimed, but it surely destroyed millions of lives in the country.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના સંક્રમણની ઝડપ ભલે ધીમી થઇ હોયપરંતુ સંક્રમણ હજી પણ રોકાયું નથી. દેશમાં કોરોના સંક્રમિતોના કેસ 1,00,00,000 ઉપર પહોંચી ગયા છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે 30 હજારથી ઓછા કોરોનાના કેસ સામે આવ્યાં છે.
આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 25,152 નવા સંક્રમિત સામે આવ્યાં છે. જ્યારે 347 લોકોનું કોરોનાના કારણે મૃત્યું થયું છે. જો કે રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 29,885 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય મુજબ દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસની સરેરાશ રોજના પોઝિટિવીટી રેટમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
જો કે ભારતમાં હજુ પણ કોરોનાના 3 લાખથી વધારે એક્ટિવકેસ છે, ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (ICMR) મુજબ દેશમાં 18 ડિસેમ્બર સુધી કોરોનાના વાયરસના કુલ 16 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યાં છે.