ઉત્તરપ્રદેશનાં પોલીસ જવાનની હત્યાનો આરોપી કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે આજે ઠાર મરાયો. મધ્યપ્રદેશથી યુપી લાવવા દરમિયાન રસ્તામાં જ અથડામણ બાદ વિકાસની મોત થઇ ગઈ. જોકે હવે આ એનકાઉન્ટરને લઈને વિવિધ નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈશારા-ઈશારામાં ભાજપને ટોણો માર્યો છે.
વિકાસ દુબેની મોત બાદ અનેક લોકો ઉઠાવી રહ્યા છે સવાલ
રાહુલ ગાંધીએ એક શેરમાં ફેરફાર કરીને ટ્વિટ કર્યું
પ્રિયંકા ગાંધી અને અખિલેશ યાદવે પણ સવાલ ઉઠાવ્યા
રાહુલ ગાંધીનો કટાક્ષ
ઉત્તરપ્રદેશમાં કુખ્યાત ડોન વિકાસ દુબેને ઠાર માર્યા બાદ હવે રાજનીતિ શરુ થઇ ગઈ છે. યુપીનાં પૂર્વ સીએમ બાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ શેરમાં થોડો ફેરફાર કરીને ટ્વિટ કર્યું છે જેમાં કટાક્ષ કરવામાં આવ્યો કે વિકાસના મરવાના કારણે કેટલાય સવાલોની આબરૂ બચી ગઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે 'કઈ જવાબો સે અચ્છી હૈ ખામોશી ઉસકી, ન જાને કિતને સવાલો કી આબરૂ રખ લી'
कई जवाबों से अच्छी है ख़ामोशी उसकी
न जाने कितने सवालों की आबरू रख ली
આ એનકાઉન્ટર પર કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પણ ટ્વિટ કરીને કહ્યું કે ‘ગુનેગારનો અંત થઈ ગયો, અપરાધ અને તેને રક્ષણ આપનારા લોકોનું શું’
अपराधी का अंत हो गया, अपराध और उसको सरंक्षण देने वाले लोगों का क्या?
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 10, 2020
ભાજપના રાજમાં અદાલતની જરુર નહીં : જયંત ચૌધરી
રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરીએ એન્કાઉન્ટરમાં વિકાસ દુબેની મોત બાદ કહ્યું કે વિકાસ દુબે એન્કાઉન્ટર બાદ દેશના તમામ ન્યાયાધીશોએ રાજીનામું આપી દેવું જોઈએ. ભાજપના ઠોક દો શાસનમાં અદાલતોની જરુર નથી.
दरअसल ये कार नहीं पलटी है, राज़ खुलने से सरकार पलटने से बचाई गयी है.
અખિલેશ યાદવે ટ્વીટ કરી કહ્યું કે આ કાર નથી પલટી, રાઝ ખુલવાથી સરકાર પલટતા બચી ગઇ છે.
નોંધનીય છે કે પોલીસનું કહેવું છે કે અમુક ગાડીઓ કાફલોનો પીછો કરી રહી હતી જેથી ગાડી સ્પીડ દોડાવવામાં આવી. જે બાદ વરસાદના કારણે કાર પલટી ખાઈ જતા વિકાસ દુબેએ તક ઝડપીને ભાગવાનો પ્રયત્ન કરતા વિકાસને ગોળી વાગી છે. પોલીસના અમુક જવાનો ઈજાગ્રસ્ત પણ થયા છે.