મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે પોતાનાં ચૂંટણી વાયદાઓ અનુસાર ખેડૂતોનાં દેવાંને માફ કરી દીધેલ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આનાં લીધે ખૂબ ઉત્સાહિત જોવા મળ્યાં. પત્રકારોનાં પૂછવા પર 'શું ચૂંટણી વાયદાઓ પૂર્ણ થવાનાં શરૂ થઇ ગયાં આનાં પર રાહુલ ગાંધીએ કહ્યું કે જોયું આપે શરૂ થઇ ગયું ને કામ.'
તેઓએ વધુમાં એમ જણાવ્યું કે 6 કલાકમાં પોતાનો ચૂંટણી વાયદો પણ પૂર્ણ કરી દીધો છે. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની જેમ જ રાજસ્થાનમાં પણ જલ્દી જ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. આ દરમ્યાન તેઓએ પીએમ મોદી પર પણ નિશાન સાધવામાં આવ્યું.
તેઓએ કહ્યું કે 'અમે પ્રધાનમંત્રી મોદીને ત્યાં સુધી સુવા નહીં દઇએ કે જ્યાં સુધી તેઓ ખેડૂતોનાં દેવાંને માફ નહીં કરી દે. દરેક વિપક્ષી દળ એકજૂથ રૂપથી આની માંગ કરશે. અત્યાર સુધી પ્રધાનમંત્રીએ ખેડૂતોને એક રૂપિયાની પણ છૂટછાટ આપી નથી.'
તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે 'ભારતમાં મુખ્ય લડાઇ ગરીબ જનતા નાના નાના દુકાનદાર અને 15-20 મોટાં ઉદ્યોગપતિઓની વચ્ચેની લડાઇ છે. દેશનાં લોકોનાં પૈસા લઇને આ 15-20 ઉદ્યોગપતિઓનાં ખિસ્સામાં નાખવામાં આવશે. દેશનાં દરેક ખેડૂતોનાં દેવાંને કોંગ્રેસ માફ કરાવશે. દેશનાં ખેડૂતો ડરો નહીં કોંગ્રેસ પાર્ટી આપની સાથે જ ઉભી છે.'
તેઓએ રાફેલ અને નોટબંધી પર પણ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાફેલનાં મુદ્દા પર જેપીસી તપાસ કેમ નથી થઇ રહી સાથે બેસીને ચર્ચા કેમ નથી કરતાં. તેઓએ કહ્યું કે નોટબંધી દુનિયાનો સૌથી મોટો ગોટાળો છે. ગરીબોનાં પૈસા છીનવીને મોદીજીએ પોતાનાં મિત્રોને વહેંચી દીધાં.
જો કે 1984નાં શિખ રમખાણોમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને દોષી કરાર કરવા પર રાહુલ ગાંદીએ કંઇ પણ બોલવા પર સ્પષ્ટ ના કહી દીધી. પરંતુ તેઓએ એટલું જરૂરથી કહ્યું કે મેં રમખાણો મુદ્દે મારી સ્થિતિ ખૂબ સ્પષ્ટ કરી દીધી છે અને મેં પહેલાં પણ આ જ કહ્યું છે.