કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજથી શરૂ થઈ ગઈ છે. ભારત જોડો યાત્રાનો શુભારંભ કરાવવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કન્યાકુમારી પહોંચ્યાં હતા અને ત્યાંથી તેમણે યાત્રાને લીલઝંડી દેખાડી હતી. ભારત જોડો યાત્રા હેઠળ 120 કોંગ્રેસી નેતાઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીને 3,570 કિ.મી.નું અંતર કાપશે.
Rahul Gandhi dares BJP at Bharat Jodo Yatra launch, says opposition not scared
નફરતની રાજનીતિમાં પિતા ગુમાવ્યા, હવે દેશ નહીં ગુમાવું: રાહુલ
કન્યાકુમારીમાં યાત્રાની શરૂઆત કરતા ગાંધીએ કહ્યું કે, "મેં મારા પિતાને નફરત અને ભાગલાની રાજનીતિમાં ગુમાવ્યા છે. હું આમાં મારા પ્રિય દેશને ગુમાવીશ નહીં. પ્રેમ નફરત પર વિજય મેળવશે. આશા ભયને હરાવશે. આપણે બધાં સાથે મળીને હરાવીશું.
#BharatJodoYatra is here, to defend and protect the ideologies and the values behind our Tiranga.
छत्तीसगढ़ के मुख्यमंत्री श्री भूपेश बघेल, तमिलनाडू के मुख्यमंत्री श्री एम के स्टालिन के साथ श्री राहुल गांधी को भारत जोड़ो यात्रा की शुरुआत पर तिरंगा सौंपा। pic.twitter.com/P0kowOrxWt
સોનિયા ગાંધીએ પત્ર લખીને યાત્રાને સંબોધિત કરી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પત્ર લખીને યાત્રાને સંબોધિત કરી છે. સોનિયાએ પોતાના પત્રમાં યાત્રામાં સામેલ નેતાઓને શુભકામનાઓ પાઠવી છે અને પોતાની હાજરી ન આપી શકવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે. એવા સમયે જ્યારે કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' કન્યાકુમારીથી કાશ્મીર સુધી શરૂ થઈ રહી છે. ત્યારે સારવાર અને મેડિકલ તપાસના કારણે હું તમારી વચ્ચે રૂબરૂ હાજર નથી. હું આ અસમર્થતા માટે દિલગીર છું.
120 કોંગ્રેસી નેતાઓ 3600 કિમી લાંબી પદયાત્રા કરશે
ભવ્ય વારસો ધરાવતી આપણી મહાન પાર્ટી કોંગ્રેસ માટે આ એક ઐતિહાસિક પ્રસંગ છે. મને વિશ્વાસ છે કે આ આપણી સંસ્થાને કાયાકલ્પ કરશે. આ ક્ષણ ભારતીય રાજકારણ માટે પરિવર્તનકારી સાબિત થશે. હું ખાસ કરીને મારા 120 સાથીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, જેઓ લગભગ 3600 કિમી લાંબી આ પદયાત્રાને પૂર્ણ કરશે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થશે અને હજારો નવા લોકો તેમાં જોડાશે, હું તેમને પણ શુભકામનાઓ આપું છું. વૈચારિક અને આધ્યાત્મિક રીતે હું હંમેશા 'ભારત જોડો યાત્રા'માં સામેલ રહીશ. હું ચોક્કસપણે મુસાફરીને જીવંત જોઈશ. તો ચાલો આપણે સંકલ્પ કરીએ, એક થઈએ અને આપણી ફરજો પર અડગ રહીએ. જય હિન્દ.
યાત્રા પ્રવાસ વખતે કન્ટેનરમાં રોકાશે રાહુલ ગાંધી અને બીજા નેતાઓ
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3570 કિલોમીટરની ભારત જોડો યાત્રા દરમિયાન દરરોજ કન્ટેનર દ્વારા એક નવું ગામ ઉભું કરવામાં આવશે, જ્યાં રાહુલ ગાંધી અને તેમની સાથે આવેલા મુસાફરો રોકાશે. આ માટે 60 જેટલા કન્ટેનર શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે, જેને ટ્રક પર રાખવામાં આવ્યા છે. આ તમામ કન્ટેનર રાહુલ યાત્રા દરમિયાન એક સાથે નહીં ચાલે પરંતુ દિવસના અંતે નિયત સ્થળે યાત્રામાં સામેલ લોકોને પહોંચાડવામાં આવશે. સુરક્ષાના કારણોસર અલગ કન્ટેનરમાં રાહુલ ગાંધી સુઈ જશે, જ્યારે અન્ય મોટાભાગના કન્ટેનરમાં 12 લોકો સૂઈ શકશે. આ કન્ટેનરના ગામમાં તમામ મુસાફરો રાહુલ ગાંધી સાથે ટેન્ટમાં બેસીને પણ જમશે, રાહુલ ગાંધી સાથે રોકાનારા ફુલ ટાઇમ મુસાફરો સાથે જમશે અને નજીકમાં જ રહેશે.