કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસ લૉકડાઉનને કારણે શહેર છોડીને ગામની તરફ પાછા આવી રહેલા લોકો અને તેમના પરિવારોને લઇને શનિવારે ટ્વિટ કર્યું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું, આજે આપણા સેંકડો ભાઇ-બહેનોને ભૂખ્યા-તરસ્યા પરિવાર સહિત પોતાના ગામ તરફ પગપાળા જવુ પડી રહ્યું છે. આ કઠિન રસ્તા પર આપના માંથી જે પણ તેઓેને ભોજન-પાણી-મદદ કરી શકે, કૃપા કરીને આપે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પગપાળા જઇ રહેલા ભાઇ-બહેનો મદદ કરવાની અપીલ કરી
પીએમ મોદીએ બુધવારથી 21 દિવસ માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી છે
તેઓેએ ટ્વિટમાં આગળ લખ્યું કે, કોંગ્રેસ નેતાઓને મદદ કરવાની ખાસ અપીલ કરું છું. જય હિન્દ. દેશમાં કોરોના વાયરસની મહામારીને પગલે પીએમ મોદીએ બુધવારથી 21 દિવસ માટે દેશભરમાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
आज हमारे सैकड़ों भाई-बहनों को भूखे-प्यासे परिवार सहित अपने गाँवों की ओर पैदल जाना पड़ रहा है।इस कठिन रास्ते पर आप में से जो भी उन्हें खाना-पानी-आसरा-सहारा दे सके,कृपा करके दे! कॉंग्रेस कार्यकर्ताओं-नेताओं से मदद की ख़ास अपील करता हूँ।
આ પહેલા પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લૉકડાઉનને લઇને ટ્વિટ કર્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું, લૉકડાઉન આપણા દેશના ગરીબ અને કમજોર વર્ગને બરબાદ કરીને મુકી દેશે. તેના કારણે આપણા દેશને એક મોટો ઝટકો લાગશે. કોઇપણ નિર્ણય કરતા સમયે આપણે ઉંડાઇથી વિચારવાની જરૂર છે. આ સંકટનો સામનો કરવા માટે એવી દ્રષ્ટીની જરૂર છે જે લોકો પ્રત્યે દયા પણ રાખતી હોય. હજુ પણ મોડુ નથી થયું.
જ્યારે હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદીના લૉકડાઉનને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પીએમ મોદીને આ સંબંધમાં પત્ર લખ્યો હતો. તેઓએ કેન્દ્રને છ મહીના માટે તમામ ઇએમઆઇને ટાળવા વર વિચાર કરવા અને બેન્કો દ્વારા લેનાર વ્યાજને માફ કરવા કહ્યું હતું.