કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન સાથેની સરહદ પર તનાવ અંગે મોદી સરકારના મૌન વિશે પ્રશ્નો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે ચીનની સરહદ પરની પરિસ્થિતિ અંગે સરકારના મૌનને લીધે સંકટના આ સમયમાં અને અટકળોએ વેગ પકડ્યો છે અને અનિશ્ચિતતા બનેલી છે. ભારત સરકારે સ્પષ્ટપણે ભારતને કહેવું જોઈએ કે શું થઈ રહ્યું છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ચીન- ભારતના તણાવ વિશે સવાલ ઉઠાવ્યા
રાહુલે પીએમ મોદીને મૌન તોડવા કહ્યું
રાહુલે કહ્યું ચિત્ર સ્પષ્ટ કરો
ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ ભારત અને ચીનના 250 જેટલા સૈનિકો પૂર્વ લદ્દાખના પેગોંગ લેક વિસ્તારમાં લોખંડના સળિયા અને લાકડીઓથી તેમની વચ્ચે અથડામણ થઈ હતી. બંને બાજું પથ્થરમારો પણ થયો હતો. આ ઘટનામાં બંને દેશોના સૈનિકો ઘાયલ થયા છે. આવી જ બીજી ઘટનામાં 9 મેના રોજ સિક્કિમ સેક્ટરમાં નકુ લા પાસે નજીક બંને દેશોના લગભગ 150 સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતુ. પેંગોંગ ત્સો ઝરણા અને ગલવાન વેલીમાં, એલએસીને અડીને આવેલા ઘણા વિસ્તારોમાં પણ બંને બાજુથી સૈન્યની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.
The Government’s silence about the border situation with China is fueling massive speculation and uncertainty at a time of crisis.
GOI must come clean and tell India exactly what’s happening.
ગાલવાનની આસપાસના વિસ્તારોમાં છ દાયકાથી વધુ સમયથી બંને પક્ષો વચ્ચે સંઘર્ષનું કારણ છે. 1962 માં આ ક્ષેત્રને લઈને એક સંઘર્ષ થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ચીને ગલવાન ખીણમાં ઓછામાં ઓછા 40-50 તંબુ ગોઠવ્યા છે. ત્યારબાદ ભારતે વધારાના સૈન્ય મોકલ્યા છે. તનાવની આ સ્થિતિ પર પણ વિશ્વની નજર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદ પર મધ્યસ્થી કરવાની ઓફર કરતાં કહ્યું છે કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી જે બંને દેશો વચ્ચેના ‘મોટા અથડામણ’ અંગે સારા મૂડમાં નથી. જેવું નિવેદન આપ્યું હતુ. જોકે ભારત સરકારના સૂત્રોએ કોઈ સંપર્ક આ બે નેતાઓ વચ્ચે થયો હોવાની વાતથી ઈન્કાર કર્યો છે.