લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાના વોટિંગ માટે માત્ર 2 દિવસ બાકી છે. આજે સાંજે 5 વાગ્યે પહેલા તબક્કાનો પ્રચાર બંધ થઇ જશે. દરેક દળ પૂરી રીતે તૈયારી કરી રહ્યા છે. એક બીજા ઉપર ખૂબ પ્રહારો કરવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના સંકલ્પ પત્રને 'એક વ્યક્તિ'ના અવાજને કરાર આપતા મંગળવારે દાવો કર્યો છે કે એને બંધ રૂમમાં તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં દૂરદર્શિતાનો અભાવ છે. એમને દાવો કર્યો છે કે એમની પાર્ટીનો સંકલ્પ પત્ર લાંબા વિચાર-વિમર્શ બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં જનતાનો અવાજ સામેલ છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ ક્યું, 'કોંગ્રેસનો સંકલ્પ પત્ર વિચાર-વિમર્શના માધ્યમથી તૈયાર થયો. એમાં 10 લાખથી વધારે ભારતીય નાગરિકોનો અવાજ સામેલ છે. આ એક સમજદારી વાળો અને પ્રભાવશાળી દસ્તાવેજ છે.' એમને દાવો કર્યો છે કે, 'ભાજપનો સંકલ્પ પત્ર બંધ રૂમમાં તૈયાર કરાવમાં આવ્યો છે. એમાં એક અલગ થલગ પડી ચુકેલા વ્યક્તિનો અવાજ છે. આ અદૂરદર્શી અને અહંકાર ભર્યો છે.'
The Congress manifesto was created through discussion. The voice of over a million Indian people it is wise and powerful.
The BJP Manifesto was created in a closed room. The voice of an isolated man, it is short sighted and arrogant.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે પહેલા તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા ભાજપે પોતાનો સંકલ્પ પત્ર સોમવારે જારી કર્યો હતો. ભાજપે પોતાના ઘોષણાપત્રને સંકલ્પ પત્ર નામ આપ્યું છે. એની સાથે જ 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતો અને નાના દુકાનદારોને પેન્શન આપવા સહિત ઘણા વાયદા કરવામાં આવ્યા છે.
સોમવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીનવે ભાજપના સંકલ્પ પત્રને ખોટો જણાવ્યો હતો. પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે પીએમ મોદીએ સંકલ્પ પત્ર નહીં, પરંતુ માફીનામું જારી કરવું જોઇતું હતું.