રાહુલ ગાંધીએ આજે પેગાસસ,. બેરોજગારી અને ખેડૂત આંદોલનને લઈને PM મોદી પર પ્રહાર કર્યા છે. જેમા તેમણે એવું કહ્યું કે વડાપ્રધાને યુવાનોના ફોનમાં પણ પેગાસસ નાખી રહ્યા છે
રાહુલ ગાંધીએ PM મોદી પર કર્યા આકરા પ્રહાર
પેગાસસ અને બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર
સંસદની પાસે ઉભા રહીને કર્યું વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી વખત વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે બેરોજગારી દેશનો સૌથી મોટી મુદ્દો છે અને જ્યા સુધી મોદી સરકાર છે ત્યા સુધી યુવાનોને રોજગાર નહી મળી શકે. સંસદ ઘેરાવ પહેલા કાર્યકરોને સંબોધીત કરતી વખતે રાહુલ ગાંધીએ એવા આરોપ લગાવ્યા કે મોદી સરકાર યુવાનોનો અવાજ દબાવી રહી છે.
દેશના યુવાનોના ફોનમાં પેગાસસ નાખ્યો
સમગ્ર મામલે તેમણે એવું પણ કહ્યું નરેન્દ્ર મોદી દેશના યુવાનોના ફોનમાં પેગાસસ નાખી રહ્યા છે. વડાપ્રધાન પર રાહુલ ગાંધીએ એવા ગંભીર આક્ષેપો પણ કર્યા કે તેમણે 2 3 કોર્પોરેટ મિત્રો સાથે મળીને પાર્ટનરશિપ કરી લીધી છે. જે પાર્ટનરશિપને કારણે યુવાનોનું ભવિષ્ય બગડી રહ્યું છે.
બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો
વધુંમાં તેમણે કહ્યું કે મોદી સરકારે અસગંઠિત ક્ષેત્રોને તબાહ કરી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે હમ દો હમારે દો ની સરકાર જ્યા સુધી રહેશે ત્યા સુધી યુવાનોને રોજગાર નહી મળે. બેરોજગારી, મોંધવારી, પેગાસસ અને ખેડૂત આંદોલનને લઈને યુથ કોંગ્રેસ દ્વારા સંસદ પાસે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પોલીસે અટકાયત કરી
ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શનમાં વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ તેમડ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ પણ હતા સાથેજ કોંગ્રેસ કાર્યકરો પણ હતા. જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. શ્રીનિવાસે કહ્યું કે સરકાર સંસદમાં અસલી મુદ્દાઓ પર ચર્ચા કરવાથી ભાગી રહી છે અને લોકોની જાસસૂી કરાવી રહી છે. વધુંમાં શ્રીનિવાસે એવું પણ કહ્યું લોકો બેરોજગારી અને મોંઘવારીને કારણે હેરાન છે. જેથી કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવામાં આવી રહ્યો છે.