પૂર્વ વિદેશ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે પોતાની જ પાર્ટીના નેતાઓ પર ભડાસ કાઢી છે. સલમાન ખુર્શીદે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી અને કોંગ્રેસના નેતાઓની જ ઝાટકણી કાઢી હતી. તેઓએ કહ્યું કે વ્યક્તિગત વિશ્વાસપાત્રતા અને રાજકીય રણનીતિ વિશે કંઇ જાણતા ન હોય તેવા લોકો મને જ્ઞાન આપે ત્યારે હેરાની થાય છે.
એટલે હું એકવાર તેમને જણાવવા માગું છું કે હું વિશ્વાસ અને નિષ્ઠાને ભરોસો અને વ્યક્તિગત પસંદગી માનું છું. આ સમયે મતભેદથી નીકળી અને આગળ વધવાનો છે. ગંભીર ક્ષણોમાં રાજકીય ચુપ્પી સમજદારી કહેવાય છે પરંતુ સાથે સાથે બોલવું પણ ભવિષ્ય માટે જરૂરી હોય છે.
રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ તરીકે કરવી જોઇએ વાપસી
સલમાન ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસ ભાજપ જેવી પાર્ટી નથી અને ન બનવું જોઇએ. મહાત્મા ગાંધીની વિરાસત બચાવવા માટે આપણે મોટા સંઘર્ષની તૈયારી કરવી પડશે, અને વિરોધ અને મીડિયા ભલે કંઇ પણ કહે પરંતુ હું માનું છું કે રાહુલ ગાંધીએ આ વિશાળ પાર્ટીના અધ્યક્ષ તરીકે વાપસી કરવી જોઇએ.
કોંગ્રેસના સાથીઓને કર્યું સંબોધન
પોતાના કોંગ્રેસના સાથીઓને સંબોધતા ખુર્શીદે કહ્યું કે કોંગ્રેસ ક્યારેય ભાજપ જેવી નહોતી અને ન હોવી જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે અમારા પ્રવક્તા ભાજપને ઘેરી લેવાની ફરજ વિશે વાત કરે છે ત્યારે તેઓએ યાદ રાખવું જોઈએ કે આ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે વિવિધતાની દુનિયામાં મુક્તપણે વાત કરી શકીશું.
સોનિયા ગાંધી આગળ પર આપણને પ્રેરણા આપતા રહેશે
અંતે તેમણે કહ્યું કે અમારા વિરોધીઓ અને મીડિયા ગમે તે કહે, પણ મારું માનવું છે કે રાહુલ ગાંધી આપણા નેતા છે અને તેમણે ફરીથી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું જોઈએ. સોનિયાજી આગળ પણ આપણને પ્રેરણા આપતા રહેશે. તેમણે કહ્યું કે, ભાજપના ચૂંટણીલક્ષી અંકગણિત વિશે લિબરલ પક્ષો સ્વકેન્દ્રિત થઈ ગયા છે. આમાંથી કોઈ વૈકલ્પિક વિચાર આવી રહ્યો નથી.