ભૂવનેશ્વરઃ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર રાફેલ કરાર મુદ્દે 'દેશને અવળે માર્ગે લઇ જવાનો' આરોપ લગાવતા માંગ કરી છે કે તેઓ પોતાનાં પદથી રાજીનામું આપી દે. રૂપાણીએ અહીં સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારને લપેટમાં લેવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દાને હથિયાર બનાવ્યું.
કોર્ટનો જ નિર્ણય છે કે કોંગ્રેસનાં મોં પર તમાચોઃ
મુખ્યમંત્રી રાફેલ કરાર પર સુપ્રિમ કોર્ટનાં ચુકાદાનાં આલોકમાં વિપક્ષી દળ પર હુમલો કરવા માટે દેશનાં 70 શહેરોમાં સંવાદદાતા સંમેલન કરવાનાં ભાજપનાં નિર્ણય અંતર્ગત અહીં બોલી રહ્યાં હતાં.
તેઓએ જણાવ્યું કે "જો તમામ ચોર ભેગાં થઇ જાય અને ચોકીદારને ચોર કહે તો પણ લોકો આને નહીં માને." તેઓનો ઇશારો પ્રધાનમંત્રી પર રાહુલ ગાંધીનાં પ્રહારનાં સંદર્ભમાં હતો. રૂપાણીએ કહ્યું કે "સુપ્રિમ કોર્ટનો ચુકાદો દેશને અવળે માર્ગે લઇ જઇ રહેલ કોંગ્રેસ અને અન્ય લોકોનાં મોં પર તમાચો મારવાનો છે. ગાંધીને દેશને અવળે માર્ગે લઇ જવાંથી લઇને કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દેવું જોઇએ."