કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે એક વર્ચ્યુઅલ બેઠક દરમિયાન પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને એકવાર ફરીપાર્ટીના અધ્યક્ષ બનાવવા માંગ ઉઠી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે રાહુલને ફરી અધ્યક્ષ બનાવાનો મુદ્દો ઉઠાવ્યો. હાલની રાજકીય પરિસ્થિતિ અને દેશમાં કોવિડ-19 મહામારીની સ્થિતિ પર ચર્ચા માટે બેઠક બોલાવી હતી.
સોનિયા ગાંધીની આ બેઠકમાં દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે રાહુલને અધ્યક્ષ તરીકે પાર્ટીનું નેતૃત્વ કરવું જોઇએ. કારણ કે હાલની કેન્દ્ર સરકાર સામે ઘણા મુદ્દાઓ પર મોરચો ખોલતા જોયા છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, નીરજ ડાંગી અને કેટલાંક સાંસદોએ તેનું સમર્થન કર્યું. રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે રાહુલ ગાંધીની પ્રશંસા કરી અને કહ્યું કે કોવિડ-19 મહામારી દરમિયાન તેઓએ આગળ વધી નેતૃત્વ કર્યું છે.
રાહુલ ગાંધીને ફરી અધ્યક્ષ બનાવાની માગને એ તથ્ય સાથે જોડીને જોવામાં આવી રહી છે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ પુરો થઇ રહ્યો છે.
કોંગ્રેસ કાર્યસમિતિને નિર્ણય લેવાનો છે કે તેમનો કાર્યકાળ વધારવામાં આવે કે અન્ય નેતાને પાર્ટી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે. રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણીની હારની જવાબદારી સ્વીકારી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.