વર્તમાનમાં રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર ચાલી રહ્યો છે વિવાદ
ટ્વીટરના માધ્યમથી કર્યા કેન્દ્ર સરકાર પર પ્રહાર
કોંગ્રેસ સાંસદ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીમાં દેશની બહાર છે અને કોંગ્રેસ નેતાઓએ પુષ્ટિ કરી છે કે તેઑ નાનીને મળવા માટે ઇટલી ગયા છે. જોકે તેઓ સોશ્યલ મીડિયામાં સતત એક્ટિવ દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આજે ભારતમાં નોકરીઑને લઈને એક ટ્વીટ કર્યું છે જેમાં એક સર્વે અનુસાર નવેમ્બર મહિના માં ભારતમાં 35 લાખ લાખ નોકરીઓ ગઈ છે.
युवा पर बेरोज़गारी की मार,
जनता पर महंगाई का अत्याचार,
किसान पर ‘मित्रों’ वाले क़ानूनों का वार,
यही है मोदी सरकार। pic.twitter.com/WbmI30Ru0B
રાહુલ ગાંધીએ નોકરીઓને લઈને આંકડાઑ શેર કર્યા છે અને તેમણે લખ્યું કે 'યુવાઓએ બેરોજગારીની માર, જનતા પર મોંઘવારીનો અત્યાચાર અને ખેડૂતો પર મિત્રોના કાયદાથી વાર, આ જ છે મોદી સરકાર'
આ જ છે મોદી સરકાર: રાહુલ
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ CMIEના એક સર્વેને ટાંકીને બેરોજગારીના આરોપ લગાવ્યા છે, આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ઓકટોબરમાં પચાસ હજાર નોકરીઓ ગઈ છે જ્યારે નવેમ્બર મહિનામાં 35 લાખ નોકરીઓથી હાથ ધોવા પડ્યા. સર્વે અનુસાર નવેમ્બરમાં દેશમાં કુલ 39.36 કરોડ નોકરી હતી જે માર્ચ 2020ના ત્રિમાસિક ગાળા કરતાં એક કરોડ ઓછી છે.
રાહુલે કૃષિ કાયદાને PMના મિત્રોનો કાયદો ગણાવ્યો
નોંધનીય છે કે રાહુલ ગાંધીથી ઈટાલીથી દેશના વિવિધ મુદ્દાઑ પર સતત એક્ટિવ છે આ પહેલા તેમણે ખેડૂતોને લઈને કહ્યું હતું કે ખેડૂતની આત્મનિર્ભરતા વગર આ દેશ ક્યારેય આત્મનિર્ભર બની શકતો નથી. કૃષિ કાયદાઓ પાછા લો. ખેડૂત બચાવો દેશ બચાવો'
નોંધનીય છે કે સોમવારે કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી થોડા દિવસ માટે દેશની બહાર ગયા છે અને તે પોતાની નાનીને મળવા ગયા છે. કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલે કહ્યું કે આમાં ખોટું શું છે ? વ્યક્તિગત પ્રવાસ પર જવાનો બધાને અધિકાર છે.