કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમને મળેલી સરકારી બંગલો ખાલી કરવાની નોટીસનો જવાબ આપ્યો હતો.
સાંસદ ન રહેતા રાહુલને ગઈ કાલે મળી સરકારી બંગલો ખાલી કરવાની નોટીસ
બંગલો ખાલી કરવાની નોટીસ પર આવ્યો રાહુલનો જવાબ
કહ્યું કે નોટીસનું પુરુ પાલન કરીશ
18 વર્ષથી રાહુલ રહેતા હતા સરકારી બંગલામાં
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે લોકસભા સચિવ મોહિત રંજનની સંસદમાં પોતાનો બંગલો ખાલી કરવાની નોટીસનો જવાબ આપ્યો છે. નોટીસનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમારા દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરીશ. રાહુલે કહ્યું કે 12 તુગલક લેનમાં મારા ઘરની ફાળવણી રદ કરવા અંગેના તમારા પત્ર બદલ આભાર. લોકસભાના ચૂંટાયેલા સભ્ય તરીકે હું ચાર વખત ચૂંટાયો હતો અને અહીં જ રહ્યો હતો. મારી પાસે તેની સાથે સારી યાદો પણ જોડાયેલી છે. "કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના, હું તમારા હુકમનું પાલન કરીશ અને બંગલો ખાલી કરીશ.
ગઈકાલે બંગલો ખાલી કરવાની મળી નોટીસ
સોમવારે લોકસભા સચિવાલય દ્વારા રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. સચિવાલય તરફથી જાહેર કરવામાં આવેલા એક આદેશમાં કહેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી હવે સાંસદ નથી રહ્યા. આવી સ્થિતિમાં તેમને લોકસભાના સભ્ય તરીકે ફાળવવામાં આવેલા 12 તુગલક લેન સ્થિત બંગલો છોડવો પડશે. આ માટે રાહુલ ગાંધીને 23 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ એક પત્ર લખ્યો છે. "આ ઘર ચાર વખત લોકસભાના સાંસદ તરીકે ફાળવવામાં આવ્યું હતું અને મારી પાસે તેની મધુર યાદો છે.
18 વર્ષથી રહેતા હતા સરકારી બંગલામાં
વર્ષ 2004માં અમેઠી સીટ જીત્યા બાદ રાહુલ ગાંધી સાંસદ બન્યા હતા અને 2005થી આ બંગલામાં રહેતા હતા. પરંતુ કોર્ટે ગયા અઠવાડિયે મોદી સરનેમ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ તેમની સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં તેમને બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ કારણે તેમનું સંસદનું સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું. આ પછી લોકસભા સચિવાલય દ્વારા તેમને ઘર ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે, કોંગ્રેસે આ નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી ઝેડ+ સુરક્ષા લઈ રહ્યાં હોવાથી આવાસના હકદાર છે.