કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે ત્રણ દિવસના પ્રવાસ અંતર્ગત સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડની મુલાકાત લીધી હતી. રાહુલ આ પ્રવાસ દરમ્યાન ઘણાં કાર્યક્રમોમાં હાજરી આપશે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો મોદી સરકાર પર ટોણો
કેટલાંક લોકો નિષ્પક્ષતા ઈચ્છે છે, પણ બીજા સાથે ખોટું કરે છે
પોતે ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઈચ્છે છે, પરંતુ પોતે ધર્મનું વિભાજન કરે છે
રાહુલનો મોદી સરકાર પર કટાક્ષ
રાહુલ ગાંધીએ આજે મનાંથાવડીના ગાંધી પાર્કમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યુ. આ પ્રસંગે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, મહાત્મા ગાંધી જે કહેતા હતા તે અમલમાં લાવતા હતા. પરંતુ આજે એવા કેટલાંક લોકો છે, જે કહે છે કંઈક અલગ અને ખોટું કરે છે.
મહાત્મા ગાંધી જે બોલતા હતા તે કરતા હતા
કાર્યક્રમને સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મહાત્મા ગાંધી અંગે શક્તિશાળી વાત હતી કે જે બોલતા હતા તેને અમલમાં લાવતા હતા. તેથી તેમણે કહ્યું કે, ભારત એક સહિષ્ણુ દેશ હોવો જોઈએ તો તેમણે સહિષ્ણુ રીતે વ્યવહાર કર્યો. જો તેમણે કહ્યું કે દેશના નાગરિકોએ પોતાની મહિલાઓને સન્માન આપવુ જોઈએ. તો તેમણે મહિલાઓની સાથે સન્માનની દ્રષ્ટિએ વ્યવહાર કર્યો.
રાહુલ ગાંધીનો વડાપ્રધાન મોદી પર પ્રહાર
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આજે એવા કેટલાંક લોકો છે, જે કહે છે કે તેઓ એવો દેશ ઈચ્છી રહ્યાં છે જે નિષ્પક્ષ હોય અને પછી બીજા લોકો સાથે ખોટો વ્યવહાર કરે છે. આવા કેટલાંક લોકો કહે છે કે એવુ ભારત ઈચ્છે છે, જે મહિલાઓનું સન્માન કરે અને પછી જાતે મહિલાઓનું અપમાન કરે છે. રાહુલે કહ્યું કે, કેટલાંક લોકો ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર ઈચ્છે છે, પરંતુ તેઓ પોતે ધર્મોનું વિભાજન કરે છે.